________________
૧૪૧
–
૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19
બહેન ! જો મારું સ્મરણ હતું તો પર્ણકુટિરમાં આશરો કેમ લીધો ? અહીં કેમ ન આવ્યા ?
મહારાજ ! તમારા મિત્રનું કહેવું છે કે, આપત્તિના સમયે મિત્રના ઘરે ન જવાય.
મિત્ર પાસે લેવા જવાનું ન હોય, આપવા જવાનું હોય. જ્યાં સુધી આપવા જેવું કાંઈ ન હતું, ત્યાં સુધી ન આવ્યા અને આપવા જેવું કાંઈક તૈયાર થયું એટલે તરત જ આપને યાદ કરી આપની પાસે મને મોકલી.'
બહેન ! ભલે મિત્ર મારા આંગણે ન આવ્યા, પણ હું મારા મિત્રને લેવા કાલે સવારે જ આવું છું અને અમારી મિત્રતાને છાજે એવા આદર-સત્કારપૂર્વક મારા મિત્રને મારા આંગણે લાવીશ.
બહેન ! આજે તો આ કાવ્યનું ઈનામ સ્વીકારવું જ પડશે. એમાં હું કાંઈ આપતો નથી અને તમે પણ કાંઈ સ્વીકારતાં નથી. આ તો સરસ્વતીનું સન્માન છે અને એમાં તમારાથી ના પણ શી રીતે કહેવાશે !”
આટલું કહીને રાજા ભોજે કાવ્યની પૂજાથે હાથી, ઘોડા, સોનું, રૂપું, હીરા, માણેક, મોતી, અઢળક વસ્તુઓનું સમર્પણ કર્યું.
રાજસભા અવાક બની ગઈ. સૌના કાન ચોકન્ના થયા. જે વસ્તુઓ જોવા મળવી પણ દુર્લભ હતી. એવી વસ્તુઓ માઘ પત્નીને ભેટરૂપે અપાઈ હતી.
કવિ માઘની જેમ માઘ પત્નીની ઉદારતા પણ સૌ કોઈ જાણતા હતા. જેને જે કાંઈ જોઈતું હતું, તે કવિ માઘની પત્ની પાસે માંગવામાં કોઈને સંકોચ ન હતો.
જ્યારે સન્માન સહ અઢળક સામગ્રી સાથે કવિ માઘની પત્ની રાજદરબારની બહાર આવી, ત્યારે જેને જે જરૂર હતી, તેણે તે માંગી લીધું અને કવિ માઘની પત્નીએ પણ જેણે જે માંગ્યું, તે બધું જ આપી દીધું.
રાજ દરબારે જ્યારે તે ગઈ ત્યારે તેની પાસે કાવ્યપોથી પણ હતી, પણ જ્યારે તે પોતાની પર્ણકુટિરે પહોંચી, ત્યારે એ ખાલી હાથે અને પહેરેલાં કપડે જ હતી. એ પત્ની નહિ, ધર્મપત્ની હતી:
કવિ માઘ આજે કાંઈ વિચારમાં ચડ્યા હતા. એમણે મનમાં એક આશાનો તંતુ બાંધ્યો હતો કે, રાજા ભોજ કાવ્યની પૂજા તો કરશે જ. પણ જ્યારે પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org