________________
૨ આતમ જાગો !
આશ્ચર્ય સાથે આવનાર સ્ત્રીને ઉદ્દેશીને પૂછ્યું કે, ‘બહેન ! આવું ઉત્તમ કાવ્ય તું ક્યાંથી લાવી ! આ કાવ્ય કોણે બનાવ્યું છે ?'
‘મહારાજ ! આ કાવ્ય મારા સ્વામિનાથે બનાવ્યું છે.’
‘બહેન ! તારી વાત બેસતી નથી. આવું કાવ્ય તો મારા મિત્ર કવિ માઘ સિવાય બીજું કોઈ ન બનાવી શકે.’
‘મહારાજ ! હું પણ એ જ કહું છું ને !'
“બહેન ! તારી વાતમાં ફરક કેમ આવે છે ? પહેલાં તે કહ્યું કે, મારા સ્વામિનાથે બનાવ્યું છે અને મારા કહ્યા પછી કહે છે કે, ‘હું પણ એ જ કહું છું.’ તારી આગળ પાછળની વાતનો મેળ નથી મળતો.”
૧૪૦
આમ કેમ મહારાજ ! શું તમે અમને આટલા જલ્દી ભૂલી ગયા ? મને ન ઓળખી ! મહારાજ, શું માત્ર તમે મારાં કપડાં જ જોયાં. મને ન જોઈ ? મારો અવાજ પણ ન સાંભળ્યો ? એક મહિનો આખો આપ અમારે ત્યાં રહી ગયા અને એકાએક અમને ભૂલી પણ ગયા.’
આ સાંભળતાં રાજા ભોજને વાસ્તવિકતાનો ખ્યાલ આવ્યો.
રાજા ભોજની આંખમાં પાણી ઉભરાઈ આવ્યાં અને એણે કહ્યું કે, ‘ક્ષમા કરજો ! હું આપને ન ઓળખી શક્યો. આપ આ સ્થિતિમાં શી રીતે ? આપ હાલ ક્યાં છો અને ક્યાંથી આવો છો ? મારા મિત્ર ક્યાં છે ?’ આમ એક સાથે કેટલાક પ્રશ્નો કરી દીધા.
આમ છતાં એ જ સ્વસ્થતાથી માઘ પત્નીએ જવાબ આપ્યો.
‘મહારાજ ! સંસારમાં બધા જ દિવસો સરખા જાય એવો ક્યાં નિયમ છે ? ભલે અમે એના એ રહ્યા પણ અમારી પરિસ્થિતિ તો પૂરેપૂરી બદલાઈ ગઈ છે. અમે ભિન્નમાલનો ત્યાગ કર્યો છે. ધારાના આંગણે આવ્યા છીએ અને ગામ બહા૨ પર્ણકુટિર બનાવીને આશરો લીધો છે. તમારા મિત્ર પણ ત્યાં જ છે અને આ સ્થિતિમાં કાવ્યરચના કરી અને કાવ્ય પૂર્ણ થતાં જ મિત્રતાના દાવે આ કાવ્ય આપને ભેટ મોકલ્યું છે.
420
મહારાજ ! ભલે ધન ગયું. પણ એમનો આપવાનો સ્વભાવ ક્યાં જાય એવો છે ! એટલે જ કાવ્યસર્જન થતાં જ એને માટેના સુપાત્ર આપનું એમને સ્મરણ થયું અને મને મોકલી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org