________________
૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19
ઉદારતા ગુણનો એ સ્વભાવ છે કે, જ્યારે જે કાંઈ પોતાની પાસે હોય તે યોગ્ય અન્યને આપવાનું મન કરાવે.
૧૩૯
કવિ માથે પોતાની પત્નીને કહ્યું કે, ‘આ કાવ્યની પોથી લઈને ભોજના દરબારમાં જા અને આ પોથી એમને ભેટ કરજે.'
419
માઘ પત્ની પોથી લઈને રાજદરબારે ગઈ, પણ એનાં કપડાં અને દેદાર જોઈ ત્યાં એને પ્રવેશ મળવો મુશ્કેલ હતો. ઘણી મહેનતે એ પ્રવેશ મેળવી શકી અને ચીંથરે બાંધેલી કાવ્યપોથી એણે રાજા ભોજના હાથમાં ધરી દીધી.
થોડા સમય પૂર્વે જે રાજદરબારમાં કવિ માઘ સાથે એનું પણ સ્વાગત થયું હતું અને કવિવર સાથે એનો પણ પડ્યો બોલ ઝીલાતો હતો, એ જ રાજદરબારમાં આજે એની સામે કોઈ જોવાય તૈયાર ન હતું.
આજ સુધી જે કાવ્યપોથીઓનું આદાન-પ્રદાન જરીયન વસ્ત્રોમાં થતું, તે કાવ્યપોથીને આજે ચીંથરે બાંધીને લાવવામાં આવી હતી. જે દેહને લપેટવા જરીયન વસ્ત્રોના ખડકલા હતા, એ દેહને ઢાંકવા પૂરતાં ય ચીંથરાની આજે ખોટ હતી, તો પોથીને વીંટવા તો બીજું શું હોઈ શકે ?
આમ છતાં એ કવિ માઘની પત્ની હતી. હિંમતનો એ અતૂટ ભંડાર હતી અને સ્વસ્થતાનો મહાસાગર એણે પચાવ્યો હતો.
આ સંયોગમાં પણ એના ચહેરાની પ્રસન્નતા એ એનો અનોખો અલંકાર હતો. જેનાથી એ કાળી વાદળીમાં રહેલ ચાંદનીની જેમ ચમકતી હતી.
રાજમહેલમાં અનાદર પામવા છતાં, રાજવી પાસે પહોંચ્યા પછી પણ, રાજવી દ્વારા કોઈપણ જાતનો આવકાર ન મળવા છતાં, એ પૂર્ણ સ્વસ્થ અને સહજ હતી. તેણે પોતાના હાથમાં રહેલી કાવ્યપોથી રાજા ભોજના હાથમાં ઉચિત રીતે અર્પણ કરી.
રાજા ભોજ કાવ્યનો રસજ્ઞ હતો. કાવ્યપોથી મળતાં જ ઝવેરાતનો દાબડો ખોલે તેમ કાવ્યપોથી ખોલીને પત્રમાં સુંદર મરોડદાર અક્ષરોમાં લખાયેલ એક એક શ્લોકનું પઠન ચાલુ કર્યું. થોડી વા૨માં તો આખા કાવ્યનું રસપાન એણે કરી લીધું.
કાવ્યનું પઠન જેમ જેમ ચાલતુ ગયું, તેમ તેમ રાજા ભોજના ચહેરા ઉપર એક અનેરી આનંદની આભા ઉભરવા લાગી અને કાવ્ય પઠન પૂરું કરીને કોઈક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org