________________
૧૩૮
૨ - આતમ જગો !
-
418
એકમાત્ર પત્નીને સાથે રાખીને એમણે ભિનમાલ છોડ્યું અને ધારાના ગોંદરે આવી અટક્યા. રહેવા માટે ગામ બહાર એક પર્ણકુટિર બનાવી આશ્રય લીધો. આપત્તિમાં મિત્રના ઘરે ન જવાય :
જ્યારે ધારા તરફ પ્રયાણ કર્યું, ત્યારે કવિ માઘની પત્નીને હતું કે, મિત્રને ત્યાં આશ્રય લેવા આ પ્રયાણ કર્યું છે. રાજા ભોજ સાથેના સદ્ભાવભર્યા વ્યવહારો હજુ તો તાજા જ હતા અને બન્ને વચ્ચેની મૈત્રી પણ એવી જ અતૂટ હતી. પણ કવિ ભોજે જ્યારે પર્ણકુટિરમાં આશ્રય લીધો ત્યારે માઘ પત્નીએ આશ્ચર્યપૂર્વક પૃચ્છા કરી કે, “કેમ રાજા ભોજ હવે તમારા મિત્ર નથી ? જો છે તો આમ પર્ણકુટિરમાં શા માટે રહેવાનું ? મિત્રને મળો તો આપણો પ્રશ્ન તત્કાળ ઉકલી જશે. આપણે કરેલું આતિથ્ય ભૂલે એવો એમનો સ્વભાવ નથી.” કવિ માઘે કહ્યું કે, “આપત્તિના સમયે મિત્રને ત્યાં ન જવાય.” કવિ માઘની આ મહાનતા હતી.
મૈત્રીના સંબંધમાં આપવાનું, બીજાનું કરવાનું એ માનતા હતા. પોતાનું કરાવવાનું કે લેવાનું એ માનતા ન હતા.
કવિ માઘે ધનસમૃદ્ધિ જરૂર ગુમાવી હતી, પણ સંસ્કારસમૃદ્ધિ, ગુણસમૃદ્ધિ તો એમની એવીને એવી જ હતી. એટલે આપત્તિના સમયે મિત્રનો આશરો લેવો એમને પસંદ ન પડ્યો.
જે વ્યક્તિ મહેલમાં જન્મી, મહેલમાં ઉછરી અને મહેલમાં જ જીવી, એને ઝુંપડીમાં જીવતાં પણ આવડતું હતું. એમાં પણ એને આનંદ અને પ્રસન્નતાનો સહજ અનુભવ થતો હતો. એ એના સંસ્કાર હતા. આ એમની ગુણગરિમા હતી.
અહીં આવ્યા પછી પણ આજીવિકાનું કાંઈ ગોઠવાયું ન હતું. એવામાં એકવાર એમણે એક અદ્ભુત કાવ્યની રચના કરી.
ભર્યા પેટે કાવ્ય રચનારા ઘણા હોય છે. ભૂખ્યા પેટે જે કાવ્ય રચી જાણે એનો કાવ્યરસ કોઈ અદકેરો જ હોય છે.
પોતે રચેલા કાવ્યનું પઠન કરતાં જ કવિ માઘને રાજા ભોજ યાદ આવ્યા. રાજા ભોજનો કાવ્યરસ યાદ આવ્યો અને એની ભેટ રાજા ભોજને કરવાનું મન થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org