________________
જે - આતમ જાગો !
આવીને માંગનારો ક્યારેય ખાલી હાથે પાછો ન જતો.
દાન-વ્યસની કવિવર માઘ ઃ
આ જ કાળની થોડાં વર્ષો પહેલાંની વાત કરું તો કવિ માઘ, એ પણ ઉદારતાની મૂર્તિ હતા. જ્યારે આપવાનું કાંઈ ન રહ્યું તો, ના પાડતાં પહેલાં પ્રાણો ચાલ્યા જાય, એવું એણે ઈછ્યું. આજે પ્રસંગ નીકળ્યો જ છે, તો કવિ માઘની વાત પણ કરી લઈએ.
૧૩૬
સામાન્ય રીતે એવું કહેવાય છે કે, લક્ષ્મી-સરસ્વતી વચ્ચે મેળ ન હોય. આમ છતાં કવિ માઘ એમાં અપવાદ હતા.
416
કવિ માઘ ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ્યા હતા. તે કાળના રાજવીઓની સમૃદ્ધિ પણ ઝાંખી પડે તેવી એમની સમૃદ્ધિ હતી. તેઓ જેવા શ્રીમંત હતા, એવા જ ઉદાર અને ભોગી પણ હતા. શ્રીમંતાઈની સાથે વિદ્વત્તાનો સુમેળ એમના જીવનમાં સોનામાં સુગંધની જેમ તદાકાર બની ગયો હતો. ભિનમાલના તેઓ વતની હતા.
એ સમયે ધારા નગરીમાં રાજા ભોજ રાજ્ય કરતા. તે સમયના રાજવીઓમાં રાજા ભોજ એક ગણનાપાત્ર રાજવી હતા. તેમનો રાજવૈભવ અને વિદ્વત્તા બેય નોંધપાત્ર હતાં.
રાજા ભોજ અને કવિ માઘ વચ્ચે મૈત્રીનો ગાઢ સેતુ બંધાયો હતો. મૈત્રીના દાવે એકવાર રાજા ભોજે કવિ માઘને પોતાને ત્યાં નિમંત્ર્યા હતા. કવિ માથે પ્રતિનિમંત્રણ સ્વીકારવાની શરતે રાજા ભોજનું નિમંત્રણ સ્વીકાર્યું. રાજા ભોજના મનમાં હતું કે, બન્નેય મિત્રો ભેગા મળી એકાદ માસ કાવ્યવિનોદમાં પસાર કરી સાહિત્યનો રસ માણસું. કેમકે વિદ્વાનોનો સમય કાવ્ય, શાસ્ત્રસેવા અને વિનોદમાં જ પસાર થાય છે. કહ્યું પણ છે -
'काव्यशास्त्रविनोदेन, कालो गच्छति धीमताम् ।'
કવિ માઘ રાજા ભોજના મહેમાન તો બન્યા પણ બહુ લાંબો સમય એમની સાથે રહી ન શક્યા. થોડા જ દિવસોમાં કવિ માઘે રાજા ભોજની રજા લઈ પોતાના ઘરે પ્રયાણ કર્યું.
આમ કેમ બન્યું, તે રાજા ભોજને સમજાયું નહિ. જતાં જતાં કવિ માઘે રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org