SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ – ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 – 415 માને, સ્ટેટસ માને, આ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે ? એ પછી જ્યારે એ આગળ જઈને બેસે ત્યારે પાછળવાળા, પાછળથી હાથનાં આંગળાં એની સામે કરી એના પ્રત્યેની નફરત વ્યક્ત કરે. આમાં સ્ટેટસ ક્યાં રહ્યું ? ભલે આગળ બેસનાર શ્રીમંતને આ બધું ન દેખાતું હોય, પણ અમને તો આ બધું નાટક દેખાતું જ હોય છે. આમ છતાં આને તમે તમારું સ્ટેટસ માનો છો ! મને વધુ ન બોલાવો. તમારા ઘરમાં તમારી ઘરવાળી પાસે પણ તમારું સ્ટેટસ નથી. ઘરનો નોકર પણ કહે કે “સવારના પહોરમાં અમારા શેઠનું મોટું જોયું તો આખા દિવસમાં ખાવાય નહિ મળે. શું આ તમારું સ્ટેટસ છે ? શાલિભદ્રને ત્યાં દાસીઓ પણ કેવી હતી ? જાણો છો ? શાલિભદ્રની માતાએ પરદેશીઓનું મોટું પડેલું જોયું અને દાસીને કહ્યું “એમને બોલાવી લાવ.' જ્યારે પરદેશી વેપારીઓએ કહ્યું કે, “અમારે નથી આવવું ત્યારે ભદ્રામાતાની દાસીએ કહ્યું કે, “વેપારીઓ ! મારાં શેઠાણી દર્શન કરવા જેવાં છે.” હવે મને કહો કે આજે તમારા નોકરો તમારી પાછળ તમારા માટે શું બોલે ?' સભા આપે કહ્યું કે, જેવા છીએ તેના કરતાં જુદા દેખાવું તે માયા છે, તો શું જે પણ સંપત્તિ હોય તેનું પ્રદર્શન કરવું ? હું પ્રદર્શનની વાત નથી કરતો, પણ જેવા છો તેવા દેખાવાની વાત કરું છું. પણ તમારાથી એ નહિ બને. કારણ કે, એની પાછળ જવાબદારી આવે છે આપવાની, જે નિભાવવાની તમારી તૈયારી નથી. એક કાળ હતો, જ્યારે એક લાખવાળો પોતાના મકાન ઉપર એક દીવો, બે લાખવાળો બે દીવા, ત્રણ લાખવાળો ત્રણ દીવા એમ નવ્વાણું લાખવાળો પોતાને ત્યાં નવ્વાણું દીવા પ્રગટાવતો અને જેને ત્યાં એક કરોડ હોય તે કોટિધ્વજ ફરકાવતો ! કારણ કે, એમનું એ ધન નીતિનું, સાચી મહેનતનું કે નિર્મળ પુણ્યનું પરિણામ હતું, માટે એમને છૂપાવવા જેવું કાંઈ ન હતું. તેઓએ એ ધન એવી રીતે મેળવ્યું હતું કે, તે બતાવી પણ શકતા, ભોગવી પણ શકતા અને આપી પણ શકતા. પોતાના ધનને જાહેર કરવાનો હેતુ જરૂરીયાતવાળાને આમંત્રણ આપવાનો હતો અને જે પણ એમને આંગણે આવતા તે ક્યારેય ખાલી હાથે ન જતા. “શ્રીપાળ ચરિત્ર' વાંચો તો ખ્યાલ આવે કે, રાજા પ્રજાપાળ નાસ્તિક હતો. છતાં એ “પ્રાર્થનાભંગભીરુ' તરીકે પ્રખ્યાત હતો. એના આંગણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy