________________
૧૩૪
-
–
૨ – આતમ જાગ !
-
414
માન્યું પણ સ્વાભિમાન તો હોવું જ જોઈએ ને ! આવા ઉદ્ગારો માનના છે.
માયાવી બોલે કે “સીધા માણસોનો જમાનો જ નથી, રમત રમતાં આવડે તો જ દુનિયામાં રહી શકાય, કુશળતા તો જોઈએ જ, એ પણ એક પ્રકારની કળા છે. ભલેને તેને લોકો માયા કહે ..”
સભા : થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ ! કૂતરો કરડવા આવે તો તેને કરડવા જશો ને? સામો ગમે તે કરે, આપણી ખાનદાની શું ? આપણો ગુણવારસો - ધર્મવારસો શું ?
અપરાધીશું પણ નવિ ચિત્ત થકી, ચિંતવીએ પ્રતિકૂળ.” માયા કરવી તે પણ કષાય છે. માયા કરનાર સગા મા-બાપને, સગ્ગા ભાઈને, ખુદની પત્નીને પણ ન છોડે, આગળ વધીને દેવ-ગુર અને ધર્મનાં ક્ષેત્રોને પણ ન છોડે. અહીં આવીને પણ અમારી સાથે રમત રમે, તેને ઉપાદેય માને, રમત કરવી જ જોઈએ, રમત કર્યા વગર જીવાય જ નહિ' એવું માને, આ માયા ઉપર મિથ્યાત્વનો પુટ ચડ્યો.
લોભ બોલાવે કે “ટારગેટ તો ઉંચો જ જોઈએ, તે ઉંચો હોય તો જ પ્રગતિ થાય. ઈચ્છા એ વિકાસની ગુરુચાવી છે,' એમ માને, અમારી પાસે આવે અને અમને પણ કહે, “સાહેબ ! આ માણસો કેવા આગળ વધ્યા છે ? એમને તો બધાની ગાડીઓ પણ અલગ-અલગ અને અમારે તો સ્કુટર પણ નથી.'
જ્ઞાનીએ કહ્યું છે કે લોભને થોભ નથી. તમારી આજની દોટ જોતાં અમને ય લાગે છે કે ખરેખર લોભને કોઈ થોભ જ નથી. સભા : સાહેબ ! રૂપિયો એ તો સ્ટેટસ છે. એ હોય તો જ્યાં જઈએ ત્યાં બધે જ
પૂજાઈએ, રૂપિયાવાળાનું સ્ટેટસ કેવું છે, એની મને બરાબર ખબર છે. આજે રૂપિયાવાળાને કોઈ પૂજતું નથી. હૈયાના આદર વગર આગળ કરે એ કાંઈ સ્ટેટસ નથી. પૈસા ભૂખ્યા લોકો સ્વાર્થને વશ પૈસાવાળાને આગળ બેસાડે પણ એના પ્રત્યે હૈયામાં આદર ક્યાં હોય છે ?
અમારી વ્યાખ્યાન-સભાની જ વાત કરું તો ઘણીવાર શ્રીમંતો પાછળથી આવે તો પાછળવાળાને એ પોતાની સાથે બેસે એ પણ ગમતું નથી. એટલે એ એને આગળ જવાનું કહે અને પૈસાના નશાવાળા એ શ્રીમંતો એમાં પોતાની મોટાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org