________________
૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19
રેશમનો કોશેટો પોતે ખોરાક લે, પચાવે, લાળ બનાવે અને બહાર કાઢે. જે તેનું બંધન બને અને એનાથી એ પોતે જ બંધાય અને એમાં પોતે જ પૂરાય, તેવું જ આપણા જીવનમાં પણ બની રહ્યું છે. આપણે જ કષાય કરીએ છીએ, કષાયને વશ થઈને આપણે પોતે જ બંધન ઉભાં કરીએ છીએ અને તેમાં અટવાઈએ છીએ. આપણને કોઈ બાંધતું નથી. આપણે પોતે જ બંધન ઉભાં કરીએ છીએ અને એનાથી આપણે ખુદ બંધાઈએ છીએ. આપણો કોઈ શત્રુ નથી. આપણે જ ખુદ આપણા શત્રુ છીએ. આપણે કષાયથી ન બચીએ તો આપણને કર્મબંધથી બચાવવાની કોઈની તાકાત નથી. ખુદ ત્રણ લોકના નાથમાં પણ નથી.
૧૩૧
411
પરમાત્મા કહે છે કે તમે તગડા કષાયોને નબળા ન પાડો અને જ્યાં સુધી તેની ચુંગાલમાંથી ન છૂટો ત્યાં સુધી હું પણ તમને બચાવી ન શકું.
ક્રોધ, માન, માયા અને લોભ. આ ચારેય કષાયોને ઓળખી લેવા જરૂરી છે. સામાન્ય રીતે તો કષાયોને બધા જ ઓળખતા હોય છે. પરંતુ પોતાના જીવનમાં, પોતાના વ્યવહારમાં, પોતાના માનસિક ભાવોમાં કયો કષાય કઈ રીતે કામ કરે છે, તે ન સમજાય તો બીજું બધું સમજવું નકામું છે.
અણગમો, અરુચિ, અભાવ, આવેશ, આવેગ, ધમધમાટ, સામાને જોઈને ઘુરકીયા કાઢવાનું મન, અણબનાવ, આ બધું ક્રોધમાં આવે છે. તું - તા કરવું, મારવું, ધોલ-ધપાટ કરવી આ બધું પણ ક્રોધમાં આવે.
હું કાંઈક છું, મારામાં કાંઈક છે, હું બીજા કરતાં શ્રેષ્ઠ છું. મારી પાસે કાંઈક છે. મારો બધાએ આદ૨ ક૨વો જોઈએ, મારું દરેકે ઔચિત્ય જાળવવું જોઈએ, મને જગ્યા કરી આપવી જ જોઈએ. આવા બધા સંકલ્પ-વિકલ્પ થાય તે માનકષાય છે. કાંઈક સારું કર્યું ને કોઈએ કદર ન કરી તો કોઈને પડી જ નથી તેમ થાય તે પણ માનકષાયનો જ ભાવ છે.
માયા, પ્રપંચ, કૂડ-કપટ, દંભ, રમત, મનમાં જૂદું - વ્યવહારમાં જૂદું, અંદર જૂદું - બહાર જૂદું, કરવું કાંઈક - બતાવવું કાંઈક, હોય બીજું અને દેખાડવું જૂદું, ન હોય એવા દેખાવું અને હોય તેવા ન દેખાવું. આ બધા માયાના પ્રકારો છે. શ્રીમંત હોવા છતાં કોઈને કાંઈ આપવું ન પડે માટે ગરીબ દેખાવું, કોઈનું કાંઈક મેળવવા ગરીબ હોવા છતાં શ્રીમંત દેખાવું. ઉંમર વધેલી હોવા છતાં સ્વાર્થવશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org