SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ૨ - આતમ જાગો ! 410. ૨ - એ કર્મ કેટલા સમય સુધી આત્મા ઉપર બંધાઈને રહેશે, એ નક્કી થાય તેને સ્થિતિબંધ કહેવાય છે. ૩ - બંધાયેલા એ કર્મની તીવ્રતા-મંદતા નક્કી થવી એ રસબંધ છે અને ૪ - બંધાયેલાં એ કર્મનાં પૌદ્ગલિક કણનું પ્રમાણ નક્કી થવું, એ પ્રદેશબંધ છે.” ૩ – કષાય : આ કર્મના બંધમાં સામાન્ય રીતે, મિથ્યાત્વ-૧, અવિરતિ-૨, કષાય-૩, પ્રમાદ-૪ અને યોગ-પ - એમ પાંચ કારણો છે. આમ છતાં એમાં કષાયો મહત્ત્વનો ભાગ ભજવતા હોઈ, ‘તત્ત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વાતિજી મહારાજે “વષયવાણીવ: વર્ષનો યોયાનું પુત્રીના જ વન્ય: I' (૫૦ ૮, . .) ‘કષાયવાળો હોવાથી જીવ કર્મને યોગ્ય પગલોને જે ગ્રહણ કરે છે, તે બંધ કહેવાય છે.' એમ કહીને કર્મબંધના હેતુઓ બતાવ્યા. જ્યાં સુધી કષાય, ત્યાં સુધી કર્મબંધ: જ્યાં સુધી કષાયો છે, ત્યાં સુધી જે કર્મો બંધાય છે, તે આત્મવિકાસમાં નડતરભૂત બને છે, કષાયોનો ક્ષય થતાં વીતરાગ બન્યા પછી માત્ર મન, વચન, કાયાના યોગને કારણે બંધાતાં કર્મો આત્મવિકાસમાં નડતરભૂત બની શકતાં નથી અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, યોગ - આ બધા વિધવિધ કક્ષાના કષાયોની સાથે હોવાના કારણે પૂ. ઉમાસ્વાતિજી મહારાજે સવા ત્વ૦િ - એમ કહીને કર્મબંધની વ્યાખ્યા આપી અને - મિચ્છરનાવિત્તિ-પ્રાદ-વાવ-ચોળાવન્યતઃ ' (૪૦ ૮, ફૂગ ૨) 'મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, એ બંધના હેતુઓ છે.' એમ કહીને કર્મબંધના હેતુઓ પણ બતાવ્યા. આમ છતાં કર્મનાં બંધનો મુખ્યત્વે કષાયવશ જ બંધાય છે; જેટલા કષાયો તગડા તેટલો કર્મબંધ મજબૂત થવાનો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy