________________
૧૨૯
૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19
૩ - આત્માને વિરૂપમાં જકડી રાખે તે બંધન.
તે બંધન કયાં છે ? જ્ઞાનાવરણીય વગેરે આઠ કર્મો છે. તેનાં પેટા પ્રકારો ૧૫૮ થાય છે. તે જ્ઞાનાવરણીય આદિ કર્મો ચોક્કસ સ્વભાવ ધરાવે છે. એ બંધાય ત્યારે આત્મા ઉપર કબજો જમાવીને બેસે છે. ચોક્કસ સમયે ઉદયમાં આવે છે અને ચોક્કસ પ્રકારનો પોતાનો પ્રભાવ બતાવે છે. આ કર્મનો ક્ષય કરવા માટે એને નક્કી સમય પહેલાં ઉદયમાં લાવીને ખતમ કરી શકાય છે; જેને ઉદીરણા કહેવાય છે. એ માટે તપ, ત્યાગ, સંયમની વિશેષ આરાધના કરવાની હોય છે.
આ બધું જાણવા માટે જે જિજ્ઞાસા અને પ્રયત્ન જોઈએ, તે જિજ્ઞાસા અને પ્રયત્ન પેદા થાય તે માટે આ બોલું છું. ઘણાંને આગમ ગ્રંથો ભણવાનો અધિકાર નથી. પૂર્વાચાર્યોએ કર્મના સિદ્ધાંતને સમજાવતા જે વિશેષ ગ્રંથો બનાવેલા તે પણ આજે મળતા નથી..
409
જેમને આગમ ભણવાનો અધિકાર નથી, જેઓમાં વિશાળફલક ઉપર પથરાયેલ આગમનું અધ્યયન કરવાનું સામર્થ્ય નથી, એવા પણ જીવો આગમમાં વર્ણવેલ કર્મના સિદ્ધાંતને બરાબર સમજી શકે તે માટે પૂર્વાચાર્યોએ આગમનું દોહન કરી તેના આધારે સવિસ્તર કર્મગ્રંથોની રચના કરી, એમાંથી પણ સાર લઈ પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ પાંચ કર્મગ્રંથ બનાવ્યા અને શ્રીચંદ્રમહત્તરાચાર્યજીએ દૃષ્ટિવાદમાંથી સાર લઈ છઠ્ઠો કર્મગ્રંથ રચ્યો.
પરંતુ આ બધા મહાપુરુષોએ કરેલા એ પુરુષાર્થ આપણા માટે સફળ ત્યારે જ બને કે જ્યારે આપણે એનું અધ્યયન કરીએ.
કર્મ એ આત્માને બાંધનારું બંધન છે, માટે એને પણ બંધન કહેવાય છે. આ કર્મનો બંધ ચાર પ્રકારે થાય છે. પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. ‘નવતત્ત્વ પ્રકરણ’માં એક ગાથામાં આ ચારેની ટુંકી વ્યાખ્યા આપેલી છે -
‘યદ્ સત્તાવો વુત્તો, જિરૂ વાાવદારળ ધ
અનુમાનો રસો જેનો, પમાં સંઘો રૂ9।।'
‘૧- કોઈ પણ કર્મ બંધાય ત્યારે તેનો સ્વભાવ નક્કી થાય છે, જેને પ્રકૃતિબંધ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org