SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ આતમ જાગો ! ‘વૃગ્નિજ્ઞ, તિટ્ટિકા, બંધનું રિનાળિયા ।' ‘જાગો ! બંધનને દરેક રીતે જાણો અને તોડી નાખો !‘ - એવાં વેણ સાંભળતાની સાથે જ શ્રીજંબુસ્વામીએ શ્રીસુધર્માસ્વામીને પૂછ્યું કે, ૧૨૮ ‘મિાદ બંધનું વીરો' ‘ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ?' એવો પ્રશ્ન પૂછ્યો. કેવો સરસ પ્રશ્ન પૂછ્યો છે ? શ્રીસુધર્માસ્વામીજી કહેતા નથી કે ભગવાન મહાવીર મારા ગુરુ છે તારા નહિ, એટલે ભગવાન મહાવીરે શું કહ્યું છે, એ મારે વિચારવાનું છે તારે નહિ. તારે તો હું જે કહું તે જ સાંભળવાનું અને સમજવાનું. તારાથી એવું ન પૂછાય કે, ‘ભગવાન મહાવીરે શું કહ્યું છે ?’ આજે આવું પણ ચાલે છે. પોતાના ગુરુ કે ગુરુ પરંપરા પોતાને યાદ ન આવે તો તે કૃતઘ્નપણું છે, નિષ્નવપણું છે. જ્ઞાનના આચારમાં પણ ગુરુને ક્યારેય છુપાવવા નહિ, એ વાત આવે છે. 408 શિષ્ય પૂછે કે ‘ભગવાન શું કહે છે ?' તો એ પ્રશ્ન ગુરુને ગમે ? જો ગુરુને ન ગમે તો સમજવાનું કે ગુરુમાં ગરબડ પેઠી છે. જો શિષ્ય પૂછે કે, ‘ભગવાને શું કહ્યું છે ? શાસ્ત્રોમાં શું કહ્યું છે ? પૂર્વાચાર્યોએ શું કહ્યું છે ?' તો એ પ્રશ્ન ગુરુને ગમવો જ જોઈએ અને એનો એ રીતે ઉત્તર પણ ગુરુએ આપવો જોઈએ. જો એ પ્રશ્નનો ઉત્તર એ રીતે ગુરુ ન આપે તો એ ગુરુએ પોતાનું ગુરુપણું ગુમાવ્યું છે. શ્રી જંબૂસ્વામીજીની દૃષ્ટિ ભગવાન શ્રીમહાવીર પરમાત્મા સુધી પહોંચી તો સુધર્માસ્વામીજીએ તેમને અટકાવ્યા નહિ અને એનો ભગવાને આપેલો ઉત્તર એમણે ભગવાનના નામે જ આપ્યો. કર્મ બંધન છે કેમકે એ આત્માને બાંધે છે : બંધન કોને કહેવાય ? તે આપણે ગઈકાલે વિચારવાનું શરૂ કર્યું હતું. ૧ સ્વતંત્ર આત્માને પરતંત્ર બનાવે તે બંધન. ૨ - આત્માને પોતાના સ્વરૂપમાંથી વિરૂપમાં લઈ જાય તે બંધન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy