________________
૨ આતમ જાગો !
‘વૃગ્નિજ્ઞ, તિટ્ટિકા, બંધનું રિનાળિયા ।'
‘જાગો ! બંધનને દરેક રીતે જાણો અને તોડી નાખો !‘
- એવાં વેણ સાંભળતાની સાથે જ શ્રીજંબુસ્વામીએ શ્રીસુધર્માસ્વામીને પૂછ્યું
કે,
૧૨૮
‘મિાદ બંધનું વીરો'
‘ભગવાન વીરે બંધન કોને કહ્યું છે ?'
એવો પ્રશ્ન પૂછ્યો. કેવો સરસ પ્રશ્ન પૂછ્યો છે ? શ્રીસુધર્માસ્વામીજી કહેતા નથી કે ભગવાન મહાવીર મારા ગુરુ છે તારા નહિ, એટલે ભગવાન મહાવીરે શું કહ્યું છે, એ મારે વિચારવાનું છે તારે નહિ. તારે તો હું જે કહું તે જ સાંભળવાનું અને સમજવાનું. તારાથી એવું ન પૂછાય કે, ‘ભગવાન મહાવીરે શું કહ્યું છે ?’ આજે આવું પણ ચાલે છે.
પોતાના ગુરુ કે ગુરુ પરંપરા પોતાને યાદ ન આવે તો તે કૃતઘ્નપણું છે, નિષ્નવપણું છે. જ્ઞાનના આચારમાં પણ ગુરુને ક્યારેય છુપાવવા નહિ, એ વાત આવે છે.
408
શિષ્ય પૂછે કે ‘ભગવાન શું કહે છે ?' તો એ પ્રશ્ન ગુરુને ગમે ? જો ગુરુને ન ગમે તો સમજવાનું કે ગુરુમાં ગરબડ પેઠી છે. જો શિષ્ય પૂછે કે, ‘ભગવાને શું કહ્યું છે ? શાસ્ત્રોમાં શું કહ્યું છે ? પૂર્વાચાર્યોએ શું કહ્યું છે ?' તો એ પ્રશ્ન ગુરુને ગમવો જ જોઈએ અને એનો એ રીતે ઉત્તર પણ ગુરુએ આપવો જોઈએ. જો એ પ્રશ્નનો ઉત્તર એ રીતે ગુરુ ન આપે તો એ ગુરુએ પોતાનું ગુરુપણું ગુમાવ્યું છે.
શ્રી જંબૂસ્વામીજીની દૃષ્ટિ ભગવાન શ્રીમહાવીર પરમાત્મા સુધી પહોંચી તો સુધર્માસ્વામીજીએ તેમને અટકાવ્યા નહિ અને એનો ભગવાને આપેલો ઉત્તર એમણે ભગવાનના નામે જ આપ્યો.
કર્મ બંધન છે કેમકે એ આત્માને બાંધે છે :
બંધન કોને કહેવાય ? તે આપણે ગઈકાલે વિચારવાનું શરૂ કર્યું હતું.
૧ સ્વતંત્ર આત્માને પરતંત્ર બનાવે તે બંધન.
૨ - આત્માને પોતાના સ્વરૂપમાંથી વિરૂપમાં લઈ જાય તે બંધન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org