SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ – ૬ : કષાય બંધનની બહુરૂપિતા - 19 405 કે, “ભગવાન વીરે બંધન કોને કહ્યું છે અને એને તોડવાનો એમણે ક્યો માર્ગ બતાવ્યો છે ?' આ પ્રકારની પ્રશ્નશૈલી વિચારકને, તત્ત્વશોધકને એક નવી જ દિશા સૂચવી જાય છે. જંબુસ્વામીએ જ્યારે આવો પ્રશ્ન કર્યો ત્યારે સુધર્મારવામાં પણ કહી શકતા હતા કે “હું શું કહું છું તે જાણવાની તને ઈચ્છા નથી ? કેમ.. તને મારા ઉપર વિશ્વાસ નથી ? માટે “તું ભગવાન વીરે શું કહ્યું,” એવું પૂછે છે ? જો તને મારા ઉપર વિશ્વાસ ન હોય તો મારે તને શા માટે ઉત્તર આપવો જોઈએ ?” શ્રી સુધર્માસ્વામીએ પણ આવું કાંઈ ન કહ્યું, આ પ્રકારની ઉત્તરશૈલી જે બાબતોનો નિર્દેશ કરે છે તેની પણ થોડી વિચારણા કરી લઈએ. જેનશાસનમાં કોઈને પણ સ્વતંત્રપણે બોલવાનો કે અભિપ્રાય આપવાનો અધિકાર નથી. વર્તમાન ધર્મોપદેશકો તીર્થકરોને અગર તેમને અનુસરનાર પૂર્વાચાર્યોને આગળ કરે તો પૂર્વાચાર્યો પણ તીર્થકરો અગર તીર્થકરને અનુસરનાર ગણધર ભગવંતોને આગળ કરે, જ્યારે ગણધર ભગવંતો ખુદ તીર્થકર ભગવંતોને આગળ કરે. જૈનશાસનમાં સ્વતંત્રપણે બોલવાનો અધિકાર એકમાત્ર તીર્થકરોને છે. કારણ કે, તેઓ સત્યને સંપૂર્ણ રીતે જોઈ-જાણી શકે છે, માટે એ સિવાય કોઈને સ્વતંત્રપણે બોલવાનો-કહેવાનો અધિકાર નથી. જૈનશાસનના ગુરુતત્ત્વની એ વિશેષતા હોય છે કે તે પોતાના સંપર્કમાં આવનારને દેવતત્ત્વ સાથે જોડવાનો પ્રયત્ન કરે છે અને જૈનશાસનનો સાધક પણ ગુરુતત્ત્વ દ્વારા દેવતત્ત્વનો પરિચય મળતાં દેવતત્ત્વ સાથે જોડાઈ જાય છે. દેવતત્ત્વના જોડાણ વિનાનું કે દેવતત્વના જોડાણના લક્ષ્ય વિના માત્ર ગુરુતત્ત્વ સાથેનું જોડાણ કામનું નથી. શાસ્ત્ર, શાસ્ત્રસાપેક્ષ પરંપરા અને બંનેથી અવિરુદ્ધ સ્વાનુભવ પ્રમાણે છે : “અધ્યાત્મસાર નામના ગ્રંથમાં પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજાએ અધ્યાત્મનો મહિમા જ્યારે વિશિષ્ટ રીતે વર્ણવ્યો ત્યારે શિષ્ય પૂછયું 'भगवन् किं तदध्यात्म, यदित्थमुपवर्ण्यते ?' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy