________________
૧૨૪
404
– ૨ – આતમ જાગો ! થઈ. એ વ્યક્તીકરણના શબ્દો હતા :
વિક્રમાદિ વંધvi વીરો વિ વા નાvi તિડટ્ટ ?' “ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? અને શું
જાણીને એને તોડી શકાય છે?' શ્રી જંબૂસ્વામી સુધર્માસ્વામીને પૂછે છે કે, “ભગવન્! આપે જે પ્રભુના ચરણે જીવન સમર્પિત કર્યું, જેમની પાસેથી આપે યોગ-અધ્યાત્મ વિદ્યાનો માર્ગ મેળવ્યો, જેમના ચરણોમાં બેસીને આપે આત્માને જાણ્યો, બંધનોને જાણ્યાં, બંધનોને તોડવાનો માર્ગ જાણ્યો તે ભગવાન વીરે બંધન કોને કહ્યું છે? અને તેને તોડવાનો માર્ગ કયો બતાવ્યો છે ?' જૈનશાસનની શૈલી :
આ વિષયની વિચારણામાં આગળ વધતાં પૂર્વે કેટલીક સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. જેમની વચ્ચે આ પ્રશ્નોત્તરી થઈ છે, તે શ્રીસુધર્માસ્વામી અને જંબૂવામીમાં શ્રી સુધર્માસ્વામીજી ગુરુ હતા અને શ્રી જંબુસ્વામીજી શિષ્ય હતા. એટલે ગુરુ-શિષ્યના નાતે તેઓ સુધર્માસ્વામીજીને સીધું જ પૂછી શકતા હતા કે, આપ બંધન કોને કહો છો અને એ બંધનને તોડવાનો કયો માર્ગ આપ બતાવો છો ? અને એ જ ગુરુ-શિષ્યના સંબંધને કારણે શ્રીસુધર્માસ્વામીજી પણ એવો જવાબ આપી શકતા હતા કે હું આમ કહું છું.' આમ છતાં આવું એક પણ વેણ ન ઉચ્ચાર્યુ. જંબુસ્વામીએ પણ “આપ શું કહો છો ?' તેમ ન પૂછતાં ‘ભગવાને શું કહ્યું છે ?' એવું પૂછયું છે અને સુધર્માસ્વામીજી જેવા, શ્રમણ સંઘ શિરતાજ, ગણધર ભગવંતે કહ્યું કે, “ભગવાન મહાવીરે આમ... આમ કહ્યું છે' - આ શૈલીની પ્રશ્નોત્તરી શું સૂચવે છે, તે ગંભીરતાથી વિચારવાનું છે.
તારક ગણધર ભગવંત અને તેમના શિષ્ય વચ્ચે જો સંવાદની આવી શૈલી હોય તો આપણી, અમારી-તમારી વચ્ચેની સંવાદ શૈલી કેવી હોવી જોઈએ, એ આપણે વિચારવું જોઈએ.
જ્યારે શ્રીસુધર્માસ્વામીજીએ કહ્યું કે, “જાગો ! બંધનને જાણો ! અને બંધનને તોડો !” ત્યારે જંબુસ્વામી તરત જ પ્રશ્ન કરી શક્યા હોત કે “આપ બંધન કોને કહો છો ? તે બંધનોને હું કઈ રીતે તોડું ?” પણ તેવું તેમણે ન પૂછયું અને પૂછ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org