________________
૬: sષાથ બંધનની બહુરૂપિતા
અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ ચરમ કેવલી શ્રી જંબૂસ્વામીને ઉદ્દેશીને “વુક્ષિz' જેવાં મંત્રપદોનો ઉપયોગ કરીને કહ્યું કે “તું બોધ પામ!તારા સ્વરૂપને જો !માત્ર સ્વરૂપ જોવાથી જ ચાલતું નથી. આત્માના સ્વરૂપને પ્રગટ કરવાનું છે. તે માટે આત્માના સ્વરૂપને જેમ જોવાનું તેમ જ્યાં સુધી સ્વભાવ દશા ન પ્રગટે ત્યાં સુધી આત્માના સ્વરૂપને આવરનારાં, આત્માને બાંધી રાખનારાં બંધનોને પણ ઓળખવાનાં છે. એ બંધનોને પણ માત્ર ઓળખવાથી કામ ચાલતું નથી. ઓળખીને એને તોડવાની પણ જરૂર છે. માટે જ – “બંધનોને ઓળખો... તેને સમ્યક પ્રકારે જાણો...ચારે બાજુથી જાણી ને તોડો !” એમ શ્રીસુધર્માસ્વામીએ કહ્યું છે.
પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી અને ચરમકવલી શ્રીજંબુસ્વામીજી વચ્ચેનો આ સંવાદ છે.
તેઓનો આ સંવાદ માત્ર મોઢાનો કે કાનનો ન હતો, પણ તે આત્માનો, આત્મા સાથેનો સંવાદ હતો. તે શબ્દો માત્ર મોઢામાંથી નીકળીને કાનમાં પેઠા તેવું ન હતું પણ એક આત્મામાંથી નીકળીને બીજા આત્મામાં પ્રવેશ્યા હતા. એક સિદ્ધ પુરુષના આત્મામાંથી પ્રગટેલ આ નાદ એક શ્રેષ્ઠ કક્ષાના સાધકના આત્મપ્રદેશ સુધી પહોંચ્યો હતો. જેણે તેમના આ સાધક આત્માને સિદ્ધિનાં શિખરે પહોંચાડ્યો હતો. માટે જ પ્રશ્ન જાગ્યો કે, સિદ્ધ પુરુષના આત્મામાંથી ઉઠેલા એ નાદે જ્યારે શ્રેષ્ઠ કક્ષાના સાધકના આત્માને ઢંઢોળ્યો, જાગૃત કર્યો ત્યારે એ સાધક આત્માના હૃદયમાંથી પ્રગટેલી જિજ્ઞાસા શબ્દદેહ ધારીને વ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org