________________
મમતાને નાથવા સંતોષ (મુક્તિ)ને આદરો !
(રાગ : ૨ જીવ માન કિજીએ.) ચોથો મુનિવર ધર્મ એ જાણીએ, મુત્તિ નામે અનૂપજી, લોભ તણા જયથી એ સંપજે, નિર્લોભી મુનિ-ભૂપજી. આંતુ મમતા મ આણો રે મુનિ દિલ આપણે, મમતા દુર્ગતિ ગામીજી. મમતા સંગે સમતા નવિ મળે, છાયાડડત૫ એક ઠામોજી. ૧ લોભ જલધિ જલ લહે રે ઉલટે, લોપે શુભગુણ દેશોજી, સેતુ કરીને જિહાં સંતોષનો, નવિ પસરે લવ-લેશોજી. ર દ્રવ્યોપકરણ દેહ મહિમપણું, અશન પાન પરિવારજી, ઈત્યાદિકની રે જે ઈહા ધરે, કેવળ લિંગ પ્રચારજી. ૩ લાભાલાભે સુખ દુઃખ વેદના, જે ન કરે તિલ માત્રજી, ઉપશમ ઉદય તણો અનુભવ ગણે, ભણે સંયમ જાત્ર જી. ૪ લોભ પ્રબળથી રે વિરતિ નહિ રહે, હોય બહુ સંકલ્પજી, સજઝાયાદિક ગુણ તસ નવિ વધે, દુર્ગાનાદિક તલ્પજી. ૫ લોભે ન હણ્યા રમણીએ નવિ છળ્યા, ન મળ્યા વિષય કષાયજી, તે વિરલા જગમાંહિ જાણીએ, ધન ધન તેહની માયાજી. ૭ લોભ તણા સ્થાનક નવિ જીતીયા, જઈ ઉપશાંત કષાયજી, ચિહું ગઈ ગમન કરાવે તિહાં થકી, પુનરપિ આતમરાયજી. ૭ તસ કિંકર પરે અમર નિકર સવે, નહિ ઉણિમ તસ કાંઈજી, જસ આતમ સંતોસે અલંકર્યો, તસ ત્રિભુવન ઠકુરાઈજી. ૮ અનુભવ રસમય ચારિત્ર ફળ ભલું, તે નિર્લોભ પાયજી, જ્ઞાનવિમલ પ્રભુતા લહે અતિ ઘણી, ઉદય અધિક તસ થાયજી. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org