________________
૫ : બંધન અને બંધનનાં કારણો ઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18
એમને પોતાની મનઃસ્થિતિ જોતાં લાગતું ન હતું કે, લક્ષ્મણજી ઉપરનો પોતાનો રાગ તૂટે. એટલે તેમણે ગુરુભગવંતને પૂછ્યું કે, ‘ભગવંત ! લક્ષ્મણ ઉપરનો મારો રાગ જીવતો રહે અને મને કેવળજ્ઞાન થાય એવું બને ?' તે વખતે જ્ઞાની ભગવંતે કહ્યું કે, ‘રામચંદ્રજી ! તમારા જીવનમાં એવી ધન્ય પળ પણ જરૂર આવશે કે, જ્યારે તમારો લક્ષ્મણ ઉપરનો રાગ પણ તૂટશે.’ આ સાંભળતાં રામચંદ્રજીના આખા શરીરમાં રોમાંચનો અનુભવ થયો. એમણે પોતાની જાતને ધન્ય માની. એમને થયું કે, મારા જીવનમાં એવી પણ ધન્ય પળ આવશે કે જ્યારે લક્ષ્મણ ઉ૫૨નો મારો અતૂટ રાગ પણ તૂટશે. આ જાણી એમને અત્યંત આનંદની અનુભૂતિ થઈ.
૧૧૯
-
આ ઉપરથી તમને સમજાશે કે, રાગની હાજરીમાં પણ રાગ તોડવાનો ભાવ હોઈ શકે છે અને એ ભાવના મૂળમાં કારણ સમ્યગ્દર્શન જ કામ કરતું હોય છે.
— 399
એમણે બંધનને ઓળખ્યું હતું. એ તુટે નહિં ત્યાં સુધી મોક્ષ ક્યાંથી થાય ? એવું એ સમજતા હતા. અવિરતિનો ઉદય હતો; પણ એ અવિરતિનું બંધન પણ એમને ખૂંચતું હતું. કારણ કે તેઓ બંધનને ઓળખતા હતા અને એને એમણે તોડવું હતું અને જ્યારે એમણે જાણ્યું કે, એ બંધન પણ તૂટશે, ત્યારે એ સાંભળીને એમના સાડા ત્રણ કરોડ રૂંવાડામાં દીવા પ્રગટ્યા. અનહદ આનંદ થયો. જેનું વર્ણન કલિકાલસર્વજ્ઞ પ્રભુશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર વગેરેમાં સુંદર રીતે કર્યું છે.
આજે તમને કહેવામાં આવે કે ‘તમારો પત્ની, પુત્ર, પરિવાર ઉપરનો રાગ તૂટશે' તો શું થાય ? રોમાંચ થાય કે ધ્રાસકો પડે ? આ સાંભળી રોમાંચ થાય તો સમજવાનું કે અવિરતિ ઉપર મિથ્યાત્વનું પડલ નથી અને ધ્રાસકો પડે તો માનજો કે હજુ અવિરતિ ઉપર મિથ્યાત્વનાં પડલો બરાબર લાગેલાં છે.
આ વિષયમાં ગણધરભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા આદિ ઉપકારી મહાપુરુષો હજુ શું જણાવે છે, તે અંગે અવસરે વાત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org