________________
૧૧૮
–
૨ - આતમ જાગો !
398
સંસારવાસનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવા ગયાં ત્યારે આવો વ્યવહાર કરવો આપને શોભે છે ?
એક તરફ મહર્ષિને કેવળજ્ઞાન થયું છે અને બીજી તરફ મહાસતીએ દીક્ષાનો સ્વીકાર કર્યો છે, ત્યારે એનો મહોત્સવ કરવાના બદલે આપ જે કરવા ધારો છો તે કેટલું યોગ્ય છે ?”
આ સાંભળતાં જ રામચંદ્રજી મોહનિદ્રામાંથી જાગી ગયા. વિવેક જાગૃત થયો. એમને પોતાની ભૂલ સમજાઈ અને તેઓ કર્તવ્ય માર્ગે આગળ વધ્યા.
અનુજ-નાનો ભાઈ પણ વડીલને આ રીતે હાથ જોડીને વિનંતિ કરી શકે છે, કહેવા જોણું કહી શકે છે.
રામચંદ્રજીનું આ બધું તોફાન અવિરતિનું હતું. આ સમયે પણ એમાં મિથ્યાત્વ ભળ્યું ન હતું, માટે તેઓ તરત જાગૃત થઈ શક્યા. ત્યાંથી નીકળીને બધા જ જયભૂષણ કેવળજ્ઞાની મહાત્મા પાસે ગયા. એમના પાવન મુખે ધર્મદેશના સાંભળી. આ દરમ્યાન રામચંદ્રજીના હૃદયમાં ઘમ્મર વલોણું ચાલતું હતું. કરેલું દુષ્કૃત્ય ડંખી રહ્યું હતું. એમને થયું કે, મારું કૃત્ય જોતાં મને લાગતું નથી કે હું ભવ્યાત્મા હોઈશ કે નહિ ?
ધર્મદેશના પૂરી થતાં જ તેમણે જ્ઞાની ભગવંતને પૂછયું કે “ભગવંત ! હું ભવ્યાત્મા કે અભવ્યાત્મા ?' જ્ઞાની ભગવંતે કહ્યું કે, રામચંદ્રજી ! તમે ભવ્યાત્મા છો.” આ જવાબ મળવાથી ટાઢક તો થઈ પણ પાછું થયું, હું ભવ્યાત્મા છું એ તો બરાબર પણ મારાં લક્ષણો જોતાં લાગતું નથી કે મારો મોક્ષ નજીકના ભવિષ્યમાં થાય. શું હું દુર્ભવ્ય તો નહિ હોઉં ને ? શું મારે ઘણા ભવો સુધી ભટકવાનું તો નહિ બને ને ? એથી એમણે ફરી પ્રશ્ન કર્યો કે, “ભગવંત ! હું ચરમ શરીરી કે અચરમ શરીરી ?” જ્ઞાની ભગવંતે કહ્યું “તમે ચરમ શરીરી છો. આ જ ભવે મુક્તિમાં જશો.” આ સાંભળી અત્યંત ખુશી થઈ.
આમ છતાં તેઓએ પોતે પોતાનું આંતરનિરીક્ષણ કર્યું અને એમને થયું કે ભલે મારું સીતાજી પ્રત્યેની મમતાનું બંધન તૂટ્યું, પણ હજુ મારા મનમાં લક્ષ્મણ પ્રત્યેની મમતાનું બંધન તો ઊભું જ છે. લક્ષ્મણ ઉપર તો મને અનહદ રાગ છે. શું લક્ષ્મણ ઉપરનો મારો રાગ જીવતો રહે અને મને કેવળજ્ઞાન થાય, એવું બની શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org