SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ આતમ જાગો ! પાવન કરવાનું કહે છે; તેવી પરિસ્થિતિમાં મહાસતી સીતાદેવી ત્યાગના માર્ગે જવા માટે પ્રણિધાન-સંકલ્પ કરે છે. આ નાનીસૂની વાત નથી. જ્યારે ઉન્નત મસ્તકે નગરીમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે નતમસ્તકે ત્યાગ કરી દેવો એ અતિ અસામાન્ય ઘટના છે. એમ કહેવાય કે, ‘હવે જ સુખના દા’ડા આવ્યા હતા' છતાં એમણે એ સુખને લાત મારીને દુઃખના દા'ડા આપનાર કર્મને કાપવા સંયમનો પંથ સ્વીકાર કરી લીધો. ૧૧૭ એ - Jain Education International મહાસતી સીતાજીએ પંચમુષ્ટિ લોચ કરીને પોતાના વાળ રામચંદ્રજી ત૨ફ ફેંક્યા અને તેઓ પોતે સંયમ લેવા ચાલી નીકળ્યાં; ત્યારે રામચંદ્રજીને પોતાના અપરાધોની યાદ આવી. આખી ઘટના આંખ સામે આવી. અપરાધ ખમાવવાની ઈચ્છા હતી પણ તે પૂરી થાય તે પહેલાં તો સીતાજી ચાલી નીકળ્યાં હતાં. મહાસતી સીતાજીને આ રીતે જતાં જોઈ રામચંદ્રજી તરત જ મુચ્છિત થઈને જમીન ઉપર ઢળી પડ્યા, યોગ્ય ઉપચારોથી ભાનમાં આવતાં જ તરત તેમણે અયોધ્યાવાસીઓને ઉદ્દેશીને કહ્યું કે ‘મુંડેલા માથાવાળી પણ એ સીતાને જ્યાં હોય ત્યાંથી લઈ આવો.’ પરંતુ એના જવાબમાં પ્રજા, સૈન્ય કે રાજપરિવારમાંથી કોઈનો કશો જ પ્રતિભાવ ન મળ્યો. સૌ સ્થિર ઉભા હતા. 396 આજ સુધીમાં રામચંદ્રજીનો પ્રતાપ ને પ્રભાવ લોકોએ જોયો હતો. સૌના હૃદયમાં રામચંદ્રજી અને એમની આજ્ઞા પ્રત્યે અત્યંત આદર હતો. એટલા જ માટે આજ સુધી તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈએ કર્યું નહોતું. પરંતુ આજનો દિવસ જુદો હતો. આજે મહાસતી સીતાજીનો પ્રભાવ સૌએ નજરોનજર જોયો હતો. ત્રણસો હાથ લાંબી-પહોળી અને બે પુરુષ ઊંડી મોટી ખાઈમાં ચંદનના લાકડાં ભરીને આગ પ્રગટાવી હતી. જે આગ આકાશને પણ આંબીને એવી વિકરાળ બની હતી કે, એ જોવી પણ દુસ્સહ બની ગઈ હતી. આવી ભડભડ બળતી આગમાં મહાસતી સીતાજીએ ઝંપલાવ્યું હતું અને તે વખતે એમણે કહ્યું હતું કે ‘આજ સુધી મેં રામચંદ્રજી સિવાય અન્ય કોઈનો મનથી પણ વિચાર કર્યો હોય તો આગ મને બાળી દેજે. તે વખતે લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. સૌનું હૃદય ધડકન ચૂકી ગયું હતું. સૌ કોઈ ભયગ્રસ્ત બની વિચારતા હતા કે, હવે શું થશે ? પરંતુ લોકોએ જોયું કે, મહાસતી આગમાં પડતાંની સાથે જ ભડભડ બળતી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy