________________
આતમ જાગો !
રાત્રિ ભોજન કરવું-કરાવવું એ મોટામાં મોટું પાપ છે એવું જે જાણતા નથી તે અધમ છે જ્યારે જાણવા છતાં હું છોડતો નથી. તેથી ખાલી જગ્યા પૂરી શકશો કે ‘હું અધમાધમ છું.’
૧૧૪
૨
કર્માદાનના ધંધા ક૨વા, એ મહાપાપ છે એવું જે જાણતા નથી તે અધમ છે જ્યારે જાણવા છતાં હું છોડતો નથી. તેથી ખાલી જગ્યા પૂરી શકશો કે, ‘હું અધમાધમ છું.'
394
મહારંભ અને મહાપરિગ્રહ નરક ગતિનાં કારણો છે એવું જે જાણતા નથી તે અધમ છે જ્યારે જાણવા છતાં હું છોડતો નથી. તેથી ખાલી જગ્યા પૂરી શકશો કે, ‘હું અધમાધમ છું.'
આવી સંવેદના, અનુભૂતિ જેને હોય તેનામાં જ સમ્યગ્દર્શન સંભવી શકે અને જેનામાં સમ્યગ્દર્શન સંભવી શકે, તેને જે પણ કર્મબંધ થાય તે અલ્પ થાય. ‘ઞોઽતિ દોરૂ બંધો' - નો સાચો અર્થ તેનામાં જ સંભવી શકે. સમ્યગ્દર્શનવાળી અવિરતિ ખરી પણ મિથ્યાત્વનાં પડલ વગરની. જે અવિરતિ ઉપર મિથ્યાત્વનાં પડલ હોય, મિથ્યાત્વનો લેપ લાગેલો હોય તેનો કર્મબંધ ચીકણો હોય છે.
સમકિતીની ભાવના : સ્વજનો પરનો રાગ તૂટે તો સારું :
હવે તમે સંસારમાં છો તો હૈયાથી બોલજો કે સંસાર કેવો ? રહેવા જેવો કે છોડવા જેવો ? આજ સુધીમાં ક્યારેય પત્નીને, દીકરાને, ભાઈને, બહેનને કહ્યું છે કે ‘તારો મોહ છુટતો નથી. ક્યારે એ ધન્ય દિવસ આવશે કે તારો મોહ છુટશે.’
સભા : જ્યારે પત્ની, પુત્ર કે પરિવાર ઉપર રાગ હોય ત્યારે આ રાગ છૂટે તો સારું, એવો ભાવ હોઈ શકે ખરો ?
હા, જેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ હોય તેના હૃદયમાં આવો ભાવ જરૂર હોઈ શકે.
Jain Education International
રામાયણનો એક પ્રસંગ કહું, એના ઉ૫૨થી આ વાત સહેલાઈથી સમજાશે.
જ્યારે મહાસતી સીતાદેવીએ તેમનાં નિર્મલ શીલની પ્રતીતિ કરાવવા દિવ્ય કર્યું અને તેમાં તેઓ ઉતીર્ણ બન્યાં ત્યારે અયોધ્યાવાસીઓ તેમનું સ્વાગત કરીને અયોધ્યામાં આવકારવા થનગની રહ્યાં હતાં. ચોમેર ઉત્સાહ પ્રસરી રહ્યો હતો
For Private & Personal Use Only
www.jainelibrary.org