________________
૧૧૨
-
૨ - આતમ જાગો !
-
392
એક તો તેઓ સમ્યગ્દષ્ટિ હતા અને સમ્યગ્દષ્ટિની આ જ ભાવધારા, પરિણતિ હોય છે. તેના આધારે આમ માની શકાય. ભરતની ભાવધારાનો પડઘો સંભળાવતા આ શબ્દો વાંચવા જેવા છે :
મનમેં હી વૈરાગી, ભરતજી મનમેં હી વૈરાગી, બત્તીસ સહસ મુગટબદ્ધ રાજા, સેવા કરે વડભાગી, ચોસઠ સહસ અંતેઉરી જાકે, તોહી ન હુઆ અનુરાગી. ૧ સહસ બત્રીશ દેશ બડભાગી, ભયે સર્વ કે ત્યાગી,
છન્નુક્રોડ ગ્રામ કે અધિપતિ, તોહી ન હુઆ સરાગી. ૩' બીજી રીતે વિચારીએ તો બાહુબલીજી સાથે થયેલા યુદ્ધ પ્રસંગની એમના મુખમાંથી પ્રગટ થયેલી વિચારધારા જાણો તો પણ આમ માની શકાય. સભા : બાહુબલી સાથેના યુદ્ધ પ્રસંગની એ વિચારધારા કેવી હતી ?
જે વખતે ભરત અને બાહુબલીજી વચ્ચે યુદ્ધ થયું. ત્યારે દેવોએ વચ્ચે પડીને એ બન્નેય વચ્ચે પાંચ યુદ્ધો નક્કી કરી આપ્યાં. આ પાંચેય યુદ્ધમાં ભરતચક્રીનો કારમો પરાભવ થયો. બાહુબલીનો જ્વલંત વિજય થયો. ભરતચક્રીને ગુસ્સો આવ્યો; છેવટે તેમણે નીતિનો ભંગ કરીને બાહુબલી ઉપર ચક્રરત્ન મૂક્યું. ચક્રરત્નનો નિયમ છે કે, એ સ્વગોત્રમાં ન ચાલે. તેથી ચક્રરત્ન બાહુબલીજીને પ્રદક્ષિણા આપીને પાછું આવ્યું ત્યારે ભરતજીએ મનમાં વિચાર્યું કે છ ખંડ વિજેતા ચક્રવર્તી હું કે તે ?
ભરતે કરેલા અન્યાયને કારણે બાહુબલીજીના ક્રોધનો પાર ન રહ્યો. તેમણે મનમાં વિચાર્યું કે ભારતને માટે મારી એક મુઠ્ઠી કાફી છે. કચકચાવીને મુઠ્ઠી ઉગામી અને હાથીની જેમ ભરતને મારવા માટે દોડ્યા. બન્ને વચ્ચે ખાસ્સે અંતર હતું. જ્યારે તેઓ અડધે પહોંચ્યા ત્યારે બાહુબલીજીનો વિવેક જાગ્રત થયો.
જાગૃત થયેલા વિવેકે બાહુબલીજીને કહ્યું કે ભરતે ભલે ગમે તેમ કર્યું પણ એ મારા મોટા ભાઈ છે. પિતાની ગેરહાજરીમાં મોટાભાઈ પિતાને સ્થાને છે. મારાથી એમની સાથે આવો નબળો વ્યવહાર ન કરાય.
જ્યારે એમના જાગેલા વિવેકે એમને આ સલાહ આપી. ત્યારે અંદરથી ક્ષાત્રવટનો અવાજ આવ્યો કે, ક્ષત્રિયની ઉગામેલી મુઠ્ઠી ક્યારેય ખાલી ન જાય.
ત્યારે હૃદયમાં પ્રગટેલા વિવેકે એમને એમ કહ્યું કે ઉગામેલી મુઠ્ઠી ખાલી ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org