________________
૧૧૦
૨ – આતમ જાગો !
--
-
390
દેશે. ભયંકર દુર્ગતિમાં લઈ જશે એટલે એ સતત પરિગ્રહથી છૂટવાની પેરવીમાં હોય. પરિગ્રહ છોડીને આવ્યા બાદ પણ પરિગ્રહ કઈ રીતે ? સભા મહાપરિગ્રહ હોય છતાં જો તેના ઉપર રાગ ન હોય તો ?
પરિગ્રહને છોડી બેઠેલાને પણ જો રાગ સતાવતો હોય તો પરિગ્રહમહાપરિગ્રહવાળાને રાગ ન હોય એમ કહેવું, એ લોટ ફાકીને ભસવાની વાત કરવા જેવું છે. કોઈક વિરલ આત્માની વાત જુદી છે. બાકી પરિગ્રહની વચ્ચે રહેવું અને રાગથી, મૂર્છાથી અળગા રહેવું એ સહેલું નથી.
પરિગ્રહ છોડીને આવનારને પણ સાવધ રહેવા કહ્યું કે પદાર્થ તો પરિગ્રહ છે જ, પણ એ મૂકીને આવ્યા પછી પદાર્થો પ્રત્યેની મૂર્છા થાય છે, એ પણ પરિગ્રહ જ છે. આ સમજાવવા માટે જ લખ્યું કે,
મુછ પરિપદ વૃત્તો !'
"મૂચ્છ પરિગ્રહ કહેલ છે.' આમ છતાં અજ્ઞાનીઓએ એવો અર્થ કર્યો કે, સામગ્રી હોવી તે પરિગ્રહ નથી, પરંતુ એના પર મૂર્છા હોવી એ જ પરિગ્રહ છે અને અમને કોઈ મૂર્છા છે નહિ, માટે અમને પરિગ્રહનો દોષ લાગતો નથી.
પરિગ્રહ છોડીને આવ્યા પછી પણ રાગ કેટલો નડતો હોય છે, તેની સાધકોને અનુભૂતિ થતી હોય છે. માટે જ પરિગ્રહત્યાગીઓ એનો રાગ ત્યાગવા માટે પળ પળ મહેનત કરતા હોય છે તો પરિગ્રહની હાજરીમાં રાગ ન હોય ? સમજાય છે ? પરિગ્રહમાં બેસીને રાગ છોડવો અતિ દુષ્કર છે. અસંભવ છે એમ તો નહિ કહું કારણ કે ભરત ચક્રવર્તી જેવા કોક વિરલ આત્માઓ પણ હોય છે. જેઓ મહાપરિગ્રહમાં ય વિરાગી રહી શકે. એ પરિગ્રહ વચ્ચે રહીને પણ પરિણામધારામાં કેવી રીતે ચડ્યા અને ભાવધારામાં આગળ શી રીતે વધી શક્યા તે વાત આગળ સમજાવીશ. એ ભૂમિકા પણ સમજવા જેવી છે.
સભા સાધુ તો વર્ષીદાન આપીને આવ્યા, તેમને પરિગ્રહ ક્યાંથી ? ભરતજીનું ભાવવિશ્વ :
અનાદિના સંસ્કાર એ કામ કરાવે છે. બધું છોડી આવ્યા બાદ શરીર તો સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org