________________
૧૦૯
– ૫: બંધન અને બંધનનાં કારણોઃ મિથ્યાત્વ અને અવિરતિ -18 –
389
ધંધો વધે ને આંખ સામે નરક દેખાય, ધંધો વિકસે ને આંખ સામે નરક દેખાય, એકની બે ફેક્ટરી થાય ને સામે નરક દેખાય તો સમજવાનું કે આપણામાં અવિરતિ છે પણ હજુ મિથ્યાત્વનો પુટ ચડ્યો નથી. અને આ બધું મળતાં એ વખતે જો એમ લાગે કે જીવનમાં કાંઈક હાંસલ કર્યું છે તો સમજવાનું કે મિથ્યાત્વનો પુટ ચડેલો છે. શેર એક, પાપ આખી મીલનું
યોગશાસ્ત્ર, તત્ત્વાર્થ જેવા ગ્રંથોમાં જ્યાં નરક ગતિનાં કારણો બતાવ્યાં છે ત્યાં મહારંભ અને મહાપરિગ્રહ : આ બન્નેને નરકગતિનાં કારણો તરીકે ઓળખાવ્યાં છે. તમારી મોટી-મોટી મિલો, મોટાં મોટાં કારખાનાં, ઉદ્યોગધંધા : આ બધું મહારંભ છે.
સભા તેના શેર રાખે તો પાપ વહેંચાઈ જાય ને ?
કોઈ શેર રાખે, કોઈ નોકરી કરે અને કોઈ તેનો ધંધો વિકસાવી આપે તો તેની ગતિ કઈ ? તમે જ બોલો ! શું એ પણ મારે જ સમજાવવું પડશે ? કોક કતલખાનું ખોલે, કોઈ તેમાં નોકરી કરે અને કોઈ કતલખાનાના શેર લે તો તેની કઈ ગતિ થાય ? એક ને એક બે જેવી વાત છે ને ?
શેર લેનાર શા માટે લે છે ? નફો-ડિવીડન્ડ મળે માટે જ ને ? નફો ક્યારે મળે ? મિલ-કારખાનું કે કંપની નફો કરે ત્યારે ને ? એ નફો ક્યારે કરે ? કંપની ધમધમાટ કરતી ચાલે તો જ ને ? મિલ કે કંપની ત્રણ પાલીમાં ધમધમાટ ચાલે, એની અનુમોદના થઈ કે નહીં ? એ પણ પૂરી ચાલે તો જ તમારા શેરનો નફો મળે ને ? માટે જ શેર ભલે એક જ લીધો હોય, પણ અનુમોદના તો પૂરેપૂરી કંપની ચાલે તેની જ હોય ને ? આથી પાપ પણ પૂરી મિલનું જ લાગે ને? આ ગણિત જો તમને સમજાઈ જાય તો પછી “શેરોમાં રોકાણ ન કરાય', એ વાત અમારે સમજાવવાની કોઈ જરૂર ન રહે.
જેમ મહારંભ નરકગતિનું કારણ છે ? તેમ મહાપરિગ્રહ પણ નરક ગતિનું કારણ છે. ૧ લાખ, ૨ લાખ, ૫ લાખ, ૨૫-૫૦ લાખ ને ૧ કરોડ, ૨-૫-૨૫ કરોડ... જેમ જેમ આંકડો વધતો જાય તેમ તેમ સમકિતીને ભાર લાગતો જાય. મિથ્યાત્વનો પુટ ન લાગ્યો હોય, એવા અવિરતિઘરને જેમ જેમ પરિગ્રહનો આંકડો વધે તેમ તેમ ભય વધતો જાય. તેને થાય કે આ પરિગ્રહ મને મારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org