________________
૫ : બંધન અને બંધનનાં કારણો ઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 :
ક્યાં ખબર છે ? એમની બધી વાતોમાં બહુ ઊંડા ઉતરવું નહિ. ધર્મના સમયે ધર્મ અને કર્મના સમયે કર્મ કરવાનાં, ધર્મ અને કર્મની-સંસારની ભેળ-સેળ ક્યાંય કરવી નહિ.’ એકલી અવિરતિ આવું ન બોલાવે. જ્યારે મિથ્યાત્વ ભેગું ભળે ત્યારે જ આવી હૈયાવરાળ નીકળે.
૧૦૭
હવે તો મિથ્યાત્વ એટલું વકર્યું છે કે શ્રમણ વેષ ધરનારાઓ પણ એવું બોલવા લાગ્યા છે કે જેની થોડા સમય પૂર્વે કલ્પના પણ થઈ શકતી ન હતી. “જો શ્રાવકો શ્રીમંત નહિ હોય તો જૈનશાસન ચાલશે કઈ રીતે ? જૈન શાસન પ્રભાવક ને સમૃદ્ધ કેવી રીતે બનશે ? આનંદ અને કામદેવ પાસે સંપત્તિ કેટલી હતી ? કેવાં-કેવાં ગોકુળો હતાં ? આજે આટલાં કયાં છે ? આરંભ પરિગ્રહનો ખોટો હાઉ કરવાનો કોઈ મતલબ છે ? શ્રાવકો સમૃદ્ધ હોવા જ જોઈએ ! રાજકારણમાં સત્તાના સ્થાનોમાં શ્રાવકોએ ગોઠવાવું જ જોઈએ, આઈ.એ.એસ., જજ, પ્રોફેસર જેવા સ્થાનોમાં શ્રાવકોએ ગોઠવાવું જ જોઈએ, મોકાના સ્થાનોમાં શ્રાવકોએ શ્રીમંત બનીને પણ ગોઠવાવું જોઈએ. ધંધામાં પણ બજારોનાં મોકાનાં સ્થાનો કબજે ક૨વાં જોઈએ; વેપાર, ઉદ્યોગધંધા, શેર માર્કેટ, આંતરરાષ્ટ્રીય બજારો આ બધામાં શ્રાવકોએ વર્ચસ્વ મેળવવું જોઈએ, શિક્ષણ સંસ્થાઓ ઝબ્બે કરવી જોઈએ;” આવું બધું જ બોલાય છે તે પણ મિથ્યાત્વનો જ પ્રભાવ છે.
સભા : શ્રમણ વેષ ધરનારાઓ મિથ્યાત્વી હોય ?
ન જ હોય એવું એકાંતે ન કહી શકાય. હોય પણ ખરા. કારણ કે વેષને અને મિથ્યાત્વ હોવા ન હોવાને એકાંતિક સંબંધ નથી. મિથ્યાત્વનો સંબંધ તો આંતરિક પરિણતિ, વિચારધારા, ભાવધારા સાથે છે. વેષ સાધુનો-શ્રમણનો હોવા છતાં આંતરિક પરિણતિ વેષને અનુરૂપ ન હોય અને એનું દુઃખ પણ ન હોય તો શ્રમણ વેષમાં રહેલી વ્યક્તિમાં પણ મિથ્યાત્વ હોઈ શકે. માટે જ તો ‘ઉપદેશ રહસ્ય’ શાસ્ત્ર કહે છે -
'दीसंति बहू मुंडा, दूसमदोसवसओ सपक्खेऽवि । તે પૂરે મોત્તબા, આળસુદ્ધેસુ દિવંશે ।।૪૬।।’ ‘દુષમકાળના દોષથી સ્વ પક્ષમાં પણ ઘણા મંડ-વેષધારી શ્રમણો દેખાય છે. તેમનો દૂરથી જ ત્યાગ કરવો અને
387
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org