SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ – ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 – 385 તમે ગોળી લીધી ને ઝાડે કેટલીવાર જવું ને ન જવું તેનો હિસાબ કોણ રાખે ? બંને પગ દુઃખે છે, દુઃખાવો મટે તેની ગોળી લીધી. એમાંની અડધી ગોળી બીજે મોકલવી અને અડધી અહીં મોકલવી એવો હિસાબ કોણ રાખે છે? કોમ્યુટરના જમાનામાં જીવનારા માણસો, તમે મને પૂછો છો કે એનો હિસાબ કોણ રાખે છે ? પુદ્ગલની તાકાત તમે જાણો તો આ બધું સમજાય. જેમ જીવની શક્તિ અનંત છે, તેમ પુદ્ગલની શક્તિ પણ અનંત છે. એટલે કર્મનો હિસાબ રાખવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. પરમતારક, પરમશ્રદ્ધેય પરમગુરુદેવશ્રીજીએ પણ પોતાના જીવનના આઠઆઠ દાયકાઓ સુધી “મિથ્યાત્વ' ઉપર પ્રહારો કર્યા, તે શા માટે ? જગતને કર્મબંધથી છોડાવવા, મિથ્યાત્વથી બચાવવા, મિથ્યાદર્શનની વાસનાઓથી બચાવવા. જ્યાં સુધી આ બધાથી ન બચીએ ત્યાં સુધી સમ્યગ્દર્શન પામી ન શકાય માટે. ૨ – અવિરતિ : આત્મા સાથે કર્મનાં બંધનનું પહેલું કારણ જેમ “મિથ્યાત્વ' છે તેમ બીજું કારણ “અવિરતિ” છે. સભા : જેનું મિથ્યાત્વ જાય, તેના ઉપાયો પણ જાય ? એનો જવાબ “હા” અને “ના” એમ બન્નેયમાં આપી શકાય છે. કારણ કે જેનું મિથ્યાત્વ જાય તેના અનંતાનુબંધીના કષાયો જાય, પણ અપ્રત્યાખ્યાની વગેરે કક્ષાના કષાયો તે જીવતા જ હોય છે. જેના આધારે અવિરતિ વગેરે જીવંત રહેતી હોય છે. જેના જીવનમાં મિથ્યાત્વ ન હોય પણ માત્ર અવિરતિ હોય તેને પણ જો કર્મ બાંધી લેતાં હોય તો જેના જીવનમાં મિથ્યાત્વ પણ હોય અને અવિરતિ પણ હોય તેને કર્મ કેવી ખરાબ રીતે બાંધે અને એ પછી એ જીવની કેવી અવદશા થાય એ વિચારજો. ટુંકમાં કહેવું હોય તો મિથ્યાત્વ જાય કે એની સાથે વધુ મારકણા, વધુ ઝેરીલા કષાયો જાય છે પણ ઓછા મારકણા, ઓછા ઝેરીલા કષાયો તો હજી બાકી રહે છે. મિથ્યાત્વની હાજરીમાં મિથ્યાત્વના કારણે જેમ કર્મનો બંધ થાય છે; તેમ અવિરતિના કારણે પણ કર્મનો બંધ થાય છે. આમ છતાં મિથ્યાત્વની હાજરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy