SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ – ૨ – આતમ જાગો ! • 382 આ ચારમાં અનંતાનુબંધી કક્ષાના કષાયો અત્યંત કાતિલ હોય છે. સૌથી વધારે તગડા હોય છે. કદાચ કોઈ વ્યક્તિ ભલે એને વ્યક્ત-પ્રગટ ન કરે, ભલે તે રાડારાડ ન કરે, પણ જેનામાં એ કષાયો અનંતાનુબંધીના હોય, તેના તે કષાયો અંદરથી સૌથી વધુ તગડા હોય છે. જેના કષાયો અનંતાનુબંધી કક્ષાના હોય છે, તેને સૌથી વધુ કર્મબંધ થાય છે. સભા : આ ચાર કક્ષાના ઉપાયો એ શું છે ? ક્રોધ, માન, માયા અને લોભ - આ ચારેય કષાયો, અનંતાનુબંધી કક્ષાના, અપ્રત્યાખ્યાની કક્ષાના, પ્રત્યાખ્યાની કક્ષાના અને સંજવલન કક્ષાના - એમ ચાર કક્ષાના હોય છે. આ ચારેય કક્ષાના કષાયો કેવા હોય, એની અસરો, પ્રભાવ આત્મા ઉપર કેવી અસરો પેદા કરે, એ ક્યાં સુધી પોતાનો પ્રભાવ બતાવી શકે અને એના પરિણામો કેવાં આવે – એ બધી વાતો આગળ વિચારશું. હાલ મિથ્યાત્વ સાથે જેને સંબંધ છે, તેવા અનંતાનુબંધી કક્ષાના કષાયોનું સામાન્ય વર્ણન તમને સમજાવું. આ અનંતાનુબંધી કક્ષાના કષાયો સામાન્ય રીતે એમ કહી શકાય કે, એક વર્ષ કરતાં અધિક સમય સુધી આત્મા ઉપર પોતાનો પ્રભાવ બતાવે છે અને નરકગતિનું આયુષ્ય બંધાવે છે, તે મિથ્યાત્વને તગડું બનાવે છે અને સમ્યગ્દર્શનને પ્રગટતાં અટકાવે છે, મિથ્યાદર્શનોમાં સમ્યગ્દર્શનનો ભ્રમ કરાવે છે અને સમ્યગ્દર્શનમાં મિથ્યાદર્શનનો ભ્રમ કરાવે છે. વીતરાગ જેવા સુદેવ, નિગ્રંથ જેવા સુગુરુ અને સર્વજ્ઞકથિત મોક્ષમાર્ગરૂપ સુધર્મને કુદેવ, કુગુરુ અને કુધર્મરૂપે ઓળખાવે છે અને રાગી, પી, કુદેવોને સુદેવરૂપે; અજ્ઞાની, આરંભી, અબ્રહ્મચારી એવા કુગુરુઓને સુગુરુરૂપે અને અનેક મિથ્યા માન્યતાઓથી ભરેલ હિંસામૂલક, સંસારવર્ધક કુધર્મને સુધર્મ તરીકે ઓળખાવે છે. સન્માર્ગથી આત્માને દૂર લઈ જાય છે અને ઉન્માર્ગની ગર્તામાં ધકેલી દે છે. આવા મિથ્યાત્વને પોષણ આપવાનું કામ અનંતાનુબંધીના કપાયો કરે છે. આ કારણે મિથ્યાત્વથી બચવું જેટલું જરૂરી છે, તેટલું જ અનંતાનુબંધીના કષાયોથી પણ બચવું જરૂરી છે. જેમ મિથ્યાત્વથી અને અનંતાનુબંધી કષાયોથી બચવું જરૂરી છે, તેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીના કષાયોને ભડકાવનાર, તગડા બનાવનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy