________________
૧૦૧
– ૫ બંધન અને બંધનનાં કારણો : મિથ્યાત્વ અને અવિરતિ - 18 –
381
આ વાતને લક્ષ્યમાં રાખીને કર્મબંધના પાંચ હેતુઓ-કારણો બતાવ્યાં છે. ૧ – મિથ્યાત્વ, ૨ - અવિરતિ, ૩- પ્રમાદ, ૪ - કષાય અને ૫ – યોગ. આ પાંચ કર્મબંધના હેતુઓ-કારણો છે. ૧ – મિથ્યાત્વ :
જે જેવું હોય તેવું ન માનવું અને જે જેવું ન હોય તેવું માનવું તે મિથ્યાત્વ છે.”
દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વને, તે જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે ન માનવા તે અને જેવા સ્વરૂપે નથી તેવા સ્વરૂપે માનવા તે મિથ્યાત્વ છે.
નવે-નવ તત્ત્વો જેવા સ્વરૂપે છે, તેને તેવા સ્વરૂપે ન માનવા અને જેવા સ્વરૂપે નથી તેવા સ્વરૂપે માનવાં તેનું નામ મિથ્યાત્વ.
એક મિથ્યાત્વનું જ સ્વરૂપ સમજવા-સમજાવવા માટે મહિનાઓના મહિનાઓ જોઈએ.
પરમતારક પરમશ્રદ્ધેય પરમકૃપાળુ ગુરુદેવનું “સમ્યગ્દર્શન' નામનું પુસ્તક છે, તેના “મિથ્યાત્વનો ગાઢ અંધકાર' નામના પહેલા જ પ્રકરણમાં મિથ્યાત્વનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. તે મિથ્યાત્વને બરાબર ઓળખી લો.
મિથ્યાત્વને ઓળખવા અને મિથ્યાત્વને કાઢવા આટલો બધો પ્રયત્ન શા માટે કરવાનો ? સમ્યગ્દર્શન પામવા માટે. મિથ્યાત્વની આટલી ચર્ચાઓ શા માટે ? મિથ્યાત્વને ઓળખવા માટે અને મિથ્યાત્વથી બચી સમ્યગ્દર્શન પામવા માટે.
આ મિથ્યાત્વને, મિથ્યાત્વની વાસનાઓને, મિથ્યાદર્શનોને અને મિથ્યાદર્શનની વાસનાઓને ભડકાવવાનું કામ, અનંતાનુબંધી કક્ષાના કષાયો કરે છે. માટે મિથ્યાત્વથી બચવા માટે પણ અનંતાનુબંધી કક્ષાના કષાયોથી બચવાની જરૂર છે.
જ્યાં સુધી મિથ્યાત્વ જીવતું જાગતું હોય ત્યાં સુધી કષાયો તગડા રહેતા હોય છે. કારણ કે મિથ્યાત્વની હાજરીમાં તે અનંતાનુબંધીના છે. ચાર કષાયોના ચાર-ચાર પ્રકાર :
ક્રોધ વગેરે ચારેય કષાયો જુદી જુદી કક્ષાના હોય છે. ૧ – અનંતાનુબંધી, ૨ - અપ્રત્યાખ્યાનીય, ૩ - પ્રત્યાખ્યાનીય અને ૪ - સંજ્વલન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org