________________
૫ : બંધન અને બંધનનાં કારણો ઃ મિથ્યાત્વ અને અવિરતિ - 18 —
બંધનને ઓળખવા માટેનો અને ઓળખાયેલાં એ બંધનોને તોડવા માટેનો આ ગ્રંથ છે. બંધનનું સ્વરૂપ પૂરે-પૂરું સમજવું છે.
આપણે કોઈની સાડાબારી રાખતા જ નથી. જે લાગે તે કહી જ દેવાનું. ખોટું અંદર અંદર ઘૂમરાયા કરે, એના કરતાં કહી દેવાથી હળવાશ થઈ જાય' – આ બધા ક્રોધના ભાવો છે. આવો ક્રોધનો ભાવ મનમાં જાગે કે તરત બંધન બંધાવાનું કાર્ય ચાલુ થાય છે.
૯૯
‘મને પુછ્યું કેમ નહિ ? મને યાદ ક૨વો જ જોઈએ, મા૨ી ઉપેક્ષા કેમ કરાય છે ? હું કાંઈક છું, મારી સામે જોવું જ જોઈએ, હું બોલું તે ધ્યાનમાં લેવું જ જોઈએ, મને યોગ્ય પ્રતિભાવ આપવો જ જોઈએ.’ આ બધા માનના પ્રકારો છે. ‘હું થાક્યો-પાક્યો આવ્યો તો છેવટે મને ઠંડો, પાણીનો ગ્લાસ પણ આપવો જ જોઈએ. હું ગમે તેમ પણ ઘરનો મોભી છું ને ?' આ પણ માનના પ્રકારો છે.
379
બોલવું કાંઈક, કરવું કાંઈક, હોય તેવા ન દેખાવું, ન હોય તેવા દેખાવું, ‘આ માલ તો ખાસ તમારા માટે જ રાખેલો છે, ના-ના હું તો એ તરફ જતો જ નથી, બીજે જાઉં છું, તમારા માટે તો મને ઘણી લાગણી છે' એમ હૃદયમાં ન હોય છતાં ઉમળકો વગેરે બતાવવો - આ બધી માયા છે.
જગતનો કોઈ પણ પદાર્થ જોતાંની સાથે જ ગમી જવો, તે સજીવ હોય કે નિર્જીવ પણ તે મારે જોઈએ એટલે જોઈએ જ. મારી પાસે કેવી રીતે આવે ? કેવી રીતે તેને મેળવું વગેરે જે વૃત્તિ તે લોભનું સ્વરૂપ છે. આ ક્રોધ કે માન, માયા કે લોભના ભાવો મનમાં જાગે, સક્રિય બને કે તરત જ કર્મબંધ શરૂ થાય. પછી તે તીવ્ર હોય કે મંદ, પ્રગટ હોય કે અપ્રગટ, પણ કર્મનો બંધ તો થાય જ. કર્મબંધનાં કારણો :
સભા : શું માત્ર કષાયના કારણે જ કર્મ બંધાય છે કે અન્ય કોઈ કારણોથી પણ બંધાય છે ?
માત્ર કષાયના કારણે જ કર્મ બંધાય છે એવું નથી, અન્ય કારણો પણ છે. માટે એ જ ‘તત્ત્વાર્થ સૂત્ર'ના આઠમા અધ્યયનના પહેલા સૂત્રમાં લખ્યું કે
‘મિથ્યાવÁનાઽવિરતિ-પ્રમા૬-ષાય-યોળા વન્યજ્ઞેતવઃ'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org