________________
૯૮
-
૨ - આતમ જાગ !
–
––
–
378
કષાય પરવશ જીવ કર્મબંધન કરે : સભા તે જીવને કઈ રીતે બાંધે છે ? આ અંગે “શ્રી તત્ત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં લખ્યું છે કે,
'सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते स बन्धः ।' ‘કષાયને પરવશ થયેલો જીવ કર્મને યોગ્ય પગલોને ગ્રહણ
કરે છે, તેને બંધ કહેવાય છે.” જીવ જ્યારે કષાયને પરવશ બને છે ત્યારે કર્મો જીવને સતત બાંધ્યા જ કરે છે. આ કષાયો ક્રોધના સ્વરૂપે હોય કે માનના સ્વરૂપે હોય, માયા-પ્રપંચ-કપટના સ્વરૂપે હોય કે દુનિયાના કોઈ પણ પદાર્થ પ્રત્યેના લોભના સ્વરૂપે હોય; જ્યારે જ્યારે કષાય કોઈપણ સ્વરૂપે સક્રિય બને ત્યારે ત્યારે તે કષાયોની વૃત્તિને કારણે આત્મા સતત બંધાયા કરે છે.
સભા બેભાન દશામાં કર્મબંધ કેવી રીતે થાય ?
બેભાન વ્યક્તિનો ભલે તમારી સાથેનો સંબંધ તુટી ગયો હોય પણ અંદર તો બધુ ચાલુ જ છે. બેભાનનો મતલબ તમારો સંદેશો તેના સુધી પહોંચતો નથી અને તેનો સંદેશો તમારા સુધી પહોંચતો નથી એટલે તમારો અવાજ- તમારો ચહેરો - તમારો સ્પર્શ એના સુધી પહોંચતો નથી અને તેની પોતાની અનુભૂતિઓ, સંવેદનાઓ તે તમારા સુધી પહોંચાડી શકતો નથી; આમ છતાં અંદર તો બધી ક્રિયા બરાબર ચાલુ જ છે. ઝાડો-પેશાબ બરાબર ચાલે છે ? હૃદયનું ધડકન અને શ્વાસોચ્છુવાસની પ્રક્રિયા ચાલુ જ છે? તો પછી કર્મ કેમ ન બંધાય? માત્ર તમારી સાથેનો સંબંધ તુટ્યો એટલે કર્મ ન બંધાય તેવું નથી.
સભા : બધાનું અલગ અલગ બંધાય ? હા.બધાનું અલગ અલગ બંધાય અને તે બંધાવાની રીત પણ અલગ અલગ. સભા : ઉંઘમાં કષાય ક્યાંથી હોય ? ઊંઘમાં પણ કષાયો તો હોય જ છે. ઉંઘમાં પણ કેવી કેવી પ્રવૃત્તિ થતી હોય છે, તે શું તમે નથી જાણતા ?
ઊંઘમાં કષાયોની પ્રવૃત્તિ પણ થાય છે અને વિષયોની પ્રવૃત્તિઓ પણ થાય છે. જેવો જીવ, જેવા એના સંસ્કાર એવી એની વૃત્તિ-પ્રવૃત્તિ બેય ઊંઘમાં થતી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org