________________
૯૬
૨ આતમ જાગો !
'बध्यते जीवप्रदेशैरन्योऽन्यानुवेधरूपतया व्यवस्थाप्यते इति बन्धनम् । ज्ञानावरणीयाद्यष्टप्रकारं कर्म ।।' ‘આત્મપ્રદેશો સાથે જે બંધાય છે, આત્મપ્રદેશો સાથે ક્ષીર-નીરની જેમ એકમેક બનીને જે રહે છે, તે બંધન છે. જે જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારનાં કર્મ છે.’
આત્માના એક-એક પ્રદેશ સાથે જે એકમેક થઈ જાય તેનું નામ બંધન છે. કર્મોનો આ સ્વભાવ છે, જે આત્માની સાથે એકમેક થઈને આત્માને બાંધી લે છે.
376
દોરડાનું બંધન ઉપરનું હોય છે. કર્મનું બંધન અંદરથી હોય છે. આત્માના એક-એક પ્રદેશે. કર્મનાં અનંત-અનંત બંધનો વળગેલાં છે. તે પરિસ્થિતિમાં આત્માને કોણે મૂક્યો ?
આંખે પાટા બંધાય, મોઢે ડૂચા ભરાય, હાથ-પગ બંધાય. આ પણ બંધન છે પણ આ તો બહારનાં બંધન છે. આત્માના અનંત પ્રદેશ અને તેના એક-એક પ્રદેશને જે બંધને બાંધ્યો છે, તે બંધન શું ? તેનું સ્વરૂપ શું ? તેનું નામ શું ? આવી જિજ્ઞાસા જાગી ત્યારે કહેવામાં આવ્યું કે તેનું નામ છે કર્મ ! તેણે આત્માના એક એક પ્રદેશને પરતંત્ર બનાવ્યા છે. એક પણ આત્મપ્રદેશને સ્વતંત્ર રહેવા દીધો નથી, બધાને ગુલામ બનાવ્યા છે. તે કર્મ, આઠ વિભાગમાં વહેંચાયેલું છે.
જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, વેદનીયકર્મ, મોહનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ, ગોત્રકર્મ અને અંતરાયકર્મ. આ રીતે કર્મ, આઠ વિભાગમાં વહેંચાયેલું છે.
આ આઠ પ્રકારનું કર્મ, આત્માના એક એક પ્રદેશને જકડીને બેઠું છે. એક સમય પણ એવો નથી હોતો કે જેમાં આ આઠ પૈકીનાં સાત કર્મ આત્માને સતત બાંધતાં ન હોય. નિરંતર આત્માને એ બાંધ્યા જ કરે છે. એક આયુષ્ય કર્મ જ એવું છે કે જે આત્માને એક ભવમાં એકવાર જ બાંધે છે. બાકીનાં સાત કર્મ પ્રતિસમય બાંધે છે. મિનિટ નહીં, સેકન્ડ નહીં પણ સમય અને તે પણ પ્રતિસમય આત્માને બાંધે છે.
સમય એટલે ? એક ચપટી વગાડો તેમાં અસંખ્ય સમય થઈ જાય. જૈનશાસનનું ગણિત ભણશો એટલે ખબર પડશે કે અસંખ્ય કોને કહેવાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org