________________
૮૯
-
૪ઃ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી બૂસ્વામી - 17
–
369
જાણ્યા, ઓળખ્યા પછી ત્રીજે પગથિયે સાધકને આદેશ કરવામાં આવ્યો કે - તિક્િar' - તોડી નાંખો. આ રાજનીતિની ભાષા છે તેને અધ્યાત્મની દિશામાં વાળવાની છે. રાજનીતિમાં કહેવાય છે કે, શત્રુને જોઈ લીધો પછી જીવતો જવા ન દેવાય. તેને પૂરો કર્યો જ છૂટકો ! અહીં અધ્યાત્મ જગતમાં આપણા શત્રુ કયા છે ? રાગ-દ્વેષ, વિષય, કષાય, માટે જ મહામંત્ર નવકારમાં મૂળ પદ છે અરિહંત. શત્રુઓનો નાશ કરનારા. આમાં બાહ્ય શત્રુઓની વાત નથી, આંતરશત્રુઓની વાત છે.
જાગો, જાણો ને તોડો આ ત્રણ કામ કરવાનાં છે. શ્રી સુધર્માસ્વામીજીએ આ વાત કરી કે તરત જંબુસ્વામીને જિજ્ઞાસા જાગી. વાંચના પછી પૃચ્છના સ્વાધ્યાય આવે ને ! આ સાચી પૃચ્છના હતી.
તેમણે પૃચ્છા કરી - “વિમાદ વંધvi વીરો ?' “ગુરુદેવ ! જે ભગવાનનાં ચરણોની સેવા આપે કરી, જેમનું ઉપનિષદ આપ પામ્યા, તે વીર પ્રભુએ બંધન કોને કહ્યાં છે ? તેને કઈ રીતે જાણવાં જોઈએ, કઈ રીતે તોડવાં જોઈએ !' આ પ્રશ્ન જંબુસ્વામીએ શ્રી સુધર્માસ્વામીને કર્યો છે.
આતમ જાગો ! બંધન જાણો, બંધન તોડો' - આ વાત સાંભળી જંબુસ્વામીને જેમ જિજ્ઞાસા જાગી કે, “ભગવાન મહાવીરે બંધન કોને કહ્યાં છે ? અને એને તોડવાનો ઉપાય કયો બતાવ્યો છે ?” તેવો કોઈ પ્રશ્ન તમને જાગ્યો ?
જેને બંધનો જાણીને તોડવાની ઈચ્છા જાગે તેને જ “કઈ રીતે તોડવા” એની જિજ્ઞાસા જાગે !
જેને સમ્યગ્દર્શન પ્રગટે તેને બંધન જાણવાનું તરત મન થાય. એને ચોવીશ કલાક થાય કે ભગવાન મહાવીર પરમાત્માએ બંધન કોને કહ્યું છે ! તે બંધનને કઈ રીતે જાણું ? તે બંધનને કઈ રીતે તોડું ? તે માટે નિરંતર ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા જાગવી જોઈએ.
ઘરમાં સાપ પેસી ગયો હોય તો શું કરો ? પહેલાં તેને શોધવો પડે ? કેવી રીતે શોધો ?ખૂણે-ખાંચરે, બધું ઉંચું નીચું કરીને શોધો ? કોઈ ખૂણો બાકી રહી ન જાય, તેની કાળજી રાખો. જેવો દેખાય કે તરત પકડીને બહાર મુકવાનો જ પ્રયત્ન કરો ? આ સભામાં કોઈ બે મોટા ચોરો ઘૂસી ગયા છે, એવા સમાચાર મળે તો શું કરો ? બધાની સામે તાકી-તાકીને જુઓ ? આ તો નહિ હોય ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org