________________
૮૭
-
૪ ઃ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17
–
367
એ જ પદ ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમસ્વામી, સુધર્માસ્વામી વગેરે ગણધર ભગવંતોને કહેતા હશે તો તેનો મર્મ શું? અને આજે આપણને પણ આ પદો સંભળાવવામાં આવે તો એનો અર્થ શું ? આ બધું આપણે ઊંડાણથી સમજવાનું છે. એ માટે આપણે “જ્ઞિ ' પદને બરોબર સમજી લઈએ.
જે વખતે આ પદ આવે તે વખતે મહાન પ્રકાશ દેખાવો જોઈએ. આત્માનું શુદ્ધ સ્વરૂપ દેખાવું જોઈએ, આત્માની નિર્મળ અવસ્થા દેખાવી જોઈએ. આત્માના ઉજ્જવળ પર્યાયો દેખાવા જોઈએ. જે આત્માનું સ્વરૂપ દેખાય છે તે આપણા ખુદનું છે, તે અંદર જોવાનું છે.
પહેલે ગુણસ્થાનકે અપુનબંધક અવસ્થામાં આત્મસ્વરૂપની જે ઝાંખી થાય છે, સમ્યગ્દર્શનના સહારે જે આત્માનું દર્શન થાય છે, એનાં કરતાં અપ્રમત્ત દશામાં જે આત્માનું દર્શન થાય છે તે અતિવિશિષ્ટ કોટિનું થાય છે.
મિથ્યાત્વના કાળમાં આત્મદર્શન બહુ અલ્પ થાય છે, તે પણ મિથ્યાત્વની મંદતાથી થાય છે. ચોથે ગુણસ્થાને શ્રદ્ધાનું આવરણ નથી પણ અવિરતિનું આવરણ ઊભું છે. છટ્ઠ અવિરતિનું આવરણ નથી પણ પ્રમાદ છે. સાતમે પ્રમાદનું આવરણ નથી પણ કષાયોનું આવરણ છે અને વીતરાગ બન્યા પછી જે આત્મદર્શન થાય છે તેમાં કષાયોનું આવરણ પણ નથી માટે સર્વજ્ઞ અને સર્વદર્શી બન્યા પછી જે આત્મદર્શન થાય તે ઉત્કૃષ્ટ આત્મદર્શન હોય છે. કારણ કે તેમાં જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય - મોહનીય ને અંતરાય આ ચાર પૈકી એક પણ ઘાતિકર્મોનું આવરણ હોતું નથી.
આત્મદર્શન કરવામાં નડતરભૂત હોય તો આ ઘાતિકર્મો છે. એ ઘાતિકર્મો જ આત્મદર્શન-પરમાત્મદર્શન કરવામાં અવરોધક બને છે. માટે જ યોગીરાજશ્રી આનંદઘનજી મહારાજે પ્રભુને ફરીયાદરૂપે કહ્યું છે કે, “ઘાતી ડુંગર આડા અતિઘણા, તુમ દરિસણ જગનાથ.'
જે જાગ્યો છે, જેને આત્મદર્શનની તલપ લાગી છે, તેને જ ઘાતિ ડુંગર અવરોધરૂપ જણાય છે. બાકી જેઓ જાગ્યા નથી, જેને આત્મદર્શનની તલપ જાગી નથી, તેને ઘાતિ ડુંગરની નડતરનો અનુભવ થતો નથી. આત્મદર્શનમાં અવરોધક ઘાતિ ડુંગર જેના દૂર થઈ જાય તેઓ તો ધન્ય છે જ, પણ જેઓને એ ઘાતિ ડુંગર નડતરરૂપ અનુભવાય છે, તેઓ પણ ધન્ય છે. કેમકે તે જ તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org