SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ - ૪ઃ દીપ સે દીપ જલે પ્રવર વૈરાગી જંબુસ્વામી - 17 – 365 પ્રમાદ સૌએ છોડવા જેવો: શાસનશિરતાજ ગૌતમ ગોત્રી ઈન્દ્રભૂતિજીને પણ ભગવાને “સમર્થ જોયા મા પમાયણ' એમ કહ્યું અને આજે આપણને કોઈ કહે, બેમાં કેટલો ફરક પડે ? ગૌતમસ્વામી જેવા શાસન શિરતાજને ઉદ્દેશીને ભગવાન શ્રી મહાવીરદેવે આ શબ્દો શા માટે પ્રયોજ્યા હતા ? શું એ પ્રમાદી હતા ? આપણે જેને પ્રમાદ સમજીએ છીએ તે અર્થમાં તેઓ લેશ પણ પ્રમાદી ન હતા. પરંતુ આત્મભાવરમણતાથી લેશ પણ ખસવું, સમત્વથી અંશમાત્ર દૂર થવું, એ પણ એક જાતનો સૂક્ષ્મ પ્રમાદ જ છે. એ પ્રમાદને લક્ષ્યમાં રાખીને પ્રભુએ આ શબ્દ પ્રયોજ્યા હતા. માટે જ સાતમાં ગુણસ્થાનકને અપ્રમત્ત ગુણસ્થાનક તરીકે ઓળખાવ્યું છે અને છઠ્ઠા ગુણસ્થાનકને પ્રમત્ત ગુણસ્થાનક તરીકે ઓળખાવ્યું છે. ઉચ્ચતમ સાધના કરનારો પણ જ્યારે છઠ્ઠા ગુણસ્થાનકે હોય ત્યારે તે પ્રમત્ત કહેવાય છે અને એ જ્યારે સાતમે ગુણસ્થાનકે પહોંચે ત્યારે જ એ અપ્રમત્ત કહેવાય છે. છટ્ટ ગુણસ્થાનકે પણ પ્રમાદ છે. જ્યાં સુધી સાધક છટ્ટ ગુણસ્થાનકે છે ત્યાં સુધી ગુરુ અનુશાસન કરે છે. ક્યાંય પ્રમાદ ન નડે અને સતત જાગ્રત રહેવાય તે માટે ઉપદેશ છે. અહીં (છઠે ગુણસ્થાનકે) નિરંતર આત્મ પરિણતિમાં વિલસવાનું છે, આત્મિક ભાવોમાં સંચરવાનું છે અને આત્માનું સંવેદન કરવાનું છે. સાતમું ગુણસ્થાનક માત્ર એક નાનું અંતમુહૂર્ત ટકે છે. અંતરમુહૂર્તથી વધારે ટકી શકતું નથી, જાવ કાં તો આઠમેં પણ જો આઠમેં ન જવાય તો આવો પાછા છટ્ટે. આઠમેં ત્યારે જ જઈ શકાય કે જ્યારે સામર્થ્ય યોગ પ્રગટે. જ્યાં સુધી સામર્થ્યયોગ પ્રગટતો નથી ત્યાં સુધી સામાવાળાને છટ્ટ આવ્યા વગર આરોવારો નથી. જાગૃત દશાવાળા છઠ્ઠા ગુણસ્થાનકવાળા એ મહાત્માઓનો પુરુષાર્થ ફરી સાતમે જવાનો હોય છે અને સાતમે જઈને ફરી પાછા નીચે છછું આવે છે. બગીચામાં હિંચકા જોયા હશે ? ઘરના હિંચકા ને બગીચાનાં હિંચકા બહુ જુદા હોય છે. બાળકો બરાબર આવડત ને તાકાતનો ઉપયોગ કરીને બગીચાના એ હિંચકાને એક દિશામાં ઊંચે ટોચ સુધી લઈ જાય અને બીજી તરફ પણ એ જ રીતે ટોચ ઉપર લઈ જાય, તે બે ટોચની અવસ્થા તે સાતમું ગુણસ્થાનક અને વચ્ચેનો ગાળો તે છઠ્ઠ ગુણસ્થાનક. વચ્ચે રહેનાર બાળક ટોચ ઉપર જવાની મહેનતમાં હોય તેમ અહીં પણ છછું રહેલો સાધક ટોચ ઉપર જવાની જ મહેનતમાં હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy