SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ આતમ જાગો ! અનુમોદના કરી-કરીને કર્મનાં બંધનો બાંધ્યાં હતાં, તેમનાં બંધનો તો તૂટ્યાં પણ બીજા કેટલાંયનાં મોહનાં બંધનો તૂટી જાય તેવો એ પ્રસંગ હતો. ૫૨૭ની એક સાથે દીક્ષા થતી હશે, એ પળ કેવી હશે ? એ દૃશ્ય કેવું હશે ? ૮૪ ૨. ww 364 જંબૂકુમાર છેલ્લા કેવળી હતા આ અવસર્પિણીના. કવિએ અહીં કલ્પના કરી છે કે આઠ-આઠ પત્નીનો ત્યાગ કરીને જે સૌભાગ્ય મેળવ્યું તેને કારણે મુક્તિ રમણીને ય થયું કે આવો પતિ મને મળ્યો... હવે મારે બીજો કોઈ ન જોઈએ, એથી મુક્તિએ પોતાનાં દ્વાર બંધ કરી દીધાં. જંબૂકુમારે ૫૨૭ સાથે શ્રી સુધર્માસ્વામીના ચરણોમાં જીવન સમર્પિત કર્યું. આત્મોત્થાનની સાધનાનો પ્રારંભ કર્યો. રત્નત્રયીની ઉજ્જ્વળ સાધનામાં રત બન્યા. પાત્રતાને પ્રગટ કરી, સાચા શિષ્યત્વને પ્રદીપ્ત કર્યું. શ્રી સુધર્માસ્વામીના જ્ઞાનવારસાના એ ઉત્તરાધિકારી બન્યા. આગળ વધીને પોતાના સમગ્ર વ્યક્તિત્વને શ્રી સુધર્માસ્વામીમાં ઓગાળીને શ્રી સુધર્માસ્વામીના સમગ્ર વ્યક્તિત્વને પોતામાં પ્રતિબિંબિત કર્યું અને પૂરા ચતુર્વિધ શ્રીસંઘના યોગક્ષેમના અધિકારી બની અંતે મુક્તિ૨માના, સિદ્ધિવધૂના તેઓ સ્વામી બન્યા. શ્રમણ જીવનના સાધનાકાળમાં જંબુસ્વામી નત મસ્તકે હાથ જોડીને શ્રી સુધર્માસ્વામીજીનાં ચરણોમાં બેઠા હતા. શ્રી સુધર્માસ્વામીજીએ જંબુસ્વામીને ઉદ્દેશીને કહ્યું કે, શ્રમણ ભગવાન શ્રી મહાવીરનાં ચરણોની સેવા કરતાં-કરતાં જે મોક્ષમાર્ગની મને પ્રાપ્તિ થઈ, જે અધ્યાત્મ વિદ્યા, યોગ વિદ્યાને મેં સંપ્રાપ્ત કરી, તે મારે તને આપવી છે. કેવું સદ્ભાગ્ય હશે કે એ અધિકાર જંબુસ્વામીને મળ્યો ? Jain Education International હવે તે પદોને યાદ કરો ? ‘વ્રુત્ત્વિજ્ઞ’ કહેનાર કોણ હતા ? અને એ પદોને સાંભળનાર કોણ હતા ? એ શબ્દોની તાકાત કેવી હતી ? જેમ જેમ મોટા માણસ કહે તેમ તેમ તે શબ્દોની તાકાત વધતી જાય છે. કોઈ રસ્તે જતો માણસ, તમને કહે ‘જોઈ લઈશ’ અને કોઈ મોટો ગુંડો કહે કે જોઈ લઈશ,’ કોઈ મુંઝવણ ઉભી થઈ હોય ત્યારે સાવ સામાન્ય માણસ કહે કે ચિંતા ન કરો, બધું સારું થઈ જશે અને કોઈ મોટો માણસ કહે કે ‘બધું સારું’ થઈ જશે. તો ફરક પડે ને ? તેમ હું તમને કહું અને એ શબ્દો જ્યારે શ્રી સુધર્માસ્વામીજીએ કહ્યા હશે તો તેની ગરીમા, તેનું ઉંડાણ કેવું હશે ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004865
Book TitleSuyagadanga Sutrana Sathware Part 2 Aatam Jago
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy