SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : આરાધનામાં તિથિનું મહત્ત્વ – 5 માનવી અને તેના આધારે પોતાનાં વ્રત-પચ્ચક્ખાણ વગેરે કરવાં અને સાંજનાં પ્રતિક્રમણ વગેરે પણ તેના જ આધારે કરવાં. આ વાતના અનુસંધાનમાં તેઓશ્રીએ એક પૂર્વ મહર્ષિની ગાથાને સાક્ષી તરીકે ટાંકતાં લખ્યું કે - ૬૭ 'उदयंमि जा तिही सा पमाण-मियरीए कीरमाणीए । આળામંા-નવસ્થા-મિચ્છત્ત-વિષાદળ પાવે ।।’ ‘સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને પ્રમાણભૂત માનવી (આરાધના માટે તેને માન્ય કરવી) (સૂર્યોદય સમયે જે તિથિ હોય તેને પ્રમાણભૂત ન માનતાં) અન્ય તિથિને પ્રમાણભૂત માનવામાં આવે તો આજ્ઞાભંગ, અનવસ્થા-અવ્યવસ્થા, મિથ્યાત્વ અને વિરાધના પામે.' સભા : સાહેબજી, જરા સ્પષ્ટ રીતે સમજાવો તો સારું. આ ગાથા શ્રાદ્ધવિધિ બની તે પૂર્વેના પ્રમાણભૂત ગ્રંથની ગાથા છે. માટે શ્રાદ્ધવિધિકાર મહર્ષિએ તેને સાક્ષી તરીકે ટાંકી છે. એમાં ઔદિયક તિથિની જ આરાધના કરવી, - એમ કહ્યું છે. ઉદયમાં ન હોય તેવી અૌદયિક તિથિને પ્રમાણ માનીને તેના આધારે આરાધના કરવાની ના પાડી છે. 67 ઔદયિક તિથિ ન કરીએ તો ચાર મોટા દોષ લાગે : સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી હોય તેને ઔદયિક તિથિ કહેવાય છે અને સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી ન હોય તેને અનૌદયિક તિથિ કહેવાય છે. આવી ઔદયિક તિથિની આરાધના ન કરતાં જે અનૌયિક તિથિની આરાધના કરે છે, તેને ચાર દોષ લાગે છે. તેમાં સૌથી પહેલો દોષ ‘આજ્ઞાભંગ' નામનો છે. જ્ઞાની ભગવંતોની એવી આજ્ઞા છે કે ઔદયિક તિથિની જ આરાધના કરવી, અનૌદયિક તિથિની નહિ. આમ છતાં ‘ઔદિયિક તિથિ આરાધવાની' જ્ઞાનીની તે આજ્ઞા ન માનવાના કારણે અનૌદયિક તિથિની આરાધના કરનારને જ્ઞાનીઓની આજ્ઞાભંગનો દોષ લાગે છે. બીજા નંબરનો દોષ ‘અણવત્થા’ નામનો છે. જે દિવસે જે ઔદયિક તિથિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy