SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧ - આગમ જાણો ! હોય તેની આરાધના ન કરતાં ગમે તે અનોદયિક તિથિની આરાધના કરવાથી જ્ઞાનીઓએ નિશ્ચિત કરી આપેલ વ્યવસ્થા તોડવાનું અને અનવસ્થા-અવ્યવસ્થા કરવાનું પાપ લાગે છે. ત્રીજા નંબરનો “મિથ્યાત્વ' નામનો દોષ છે. જે જેવું હોય તેવું માનવું તે સમ્યકત્વ છે અને હોય તેવું ન માનવું અને ન હોય તેવું માનવું તે મિથ્યાત્વ છે. જે દિવસે જે ઔદયિક તિથિ હોય તેને ન માનવી અને અનૌદયિક તિથિ કે જે નથી, છતાં તેને માનવી તે મિથ્યાત્વ છે. આથી અનોદયિક તિથિ માનવાથી અને એ માનીને એ મુજબ કરવાથી મિથ્યાત્વ નામનો દોષ લાગે છે અને - ચોથો ‘વિરાધના નામનો દોષ છે. જે દિવસે જે ઔદયિક તિથિ હોય તેની આરાધના કરવાની છે, આમ છતાં તે દિવસે તે ઔદયિક તિથિના બદલે અનોદયિક તિથિ માનવાથી ઔદયિક તિથિની આરાધનાના બદલે વિરાધના કરવાનું થાય છે. સાથે અનીદયિક તિથિની આરાધના કરવાથી ઔદયિક તિથિની વિરાધનાનો અને એ દ્વારા જિનશાસનની વિરાધનાનો દોષ લાગે છે. આ ચાર દોષોને “બહુ મોટા દોષો તરીકે આગમગ્રંથોમાં વર્ણવેલા છે. માટે જેણે પણ આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાના દોષથી બચવું હોય તેમણે ઔદયિક તિથિને જ પ્રમાણ માનીને તેની આરાધના કરવી જોઈએ. ભૂલે ચૂકે પણ ઔદયિક તિથિને અપ્રમાણ માનીને ઉદયમાં ન હોય તેવી અનૌદયિક તિથિને માનવાની કે તે મુજબ આરાધના કરવાની ભૂલ ન કરવી જોઈએ. જે દિવસે જે ઔદયિક તિથિ હોય તેને ઉડાડીને ઉદયમાં ન હોય તેવી અનૌદયિક તિથિની કાલ્પનિક સ્થાપના કરીને તેવી અનૌદયિક તિથિની આરાધના કરવાથી આત્માને કોઈ જ લાભ મળતો નથી. ઉપરથી આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાના દોષની જ પ્રાપ્તિ થાય છે. મનનો ઉછાળો ભાવ નથી, જિનાજ્ઞાનુસારી પરિણામ જ ભાવ છે ? જૈનશાસનમાં ભાવનું જ મહત્ત્વ છે, એમ કહીને જેઓ તિથિ વગેરેના આ સિદ્ધાંતને તોડવાની પ્રવૃત્તિ કરે છે, તેમને એ ખ્યાલ હોવો જરૂરી છે કે જૈનશાસનમાં ભાવનું જરૂર મહત્ત્વ છે. પણ ભાવ કોને કહેવાય ? તે સમજવું જરૂરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy