SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : આરાધનામાં તિથિનું મહત્ત્વ – 5 એ તો તમારો દુન્યવી વ્યવહાર; જ્યારે હું તો ધર્મવ્યવહારની વાત કરું છું અને ખરેખર તો દુન્યવી વ્યવહાર પણ તિથિના આધારે જ ચાલવો જોઈએ. પણ તમે બધાએ અનાર્યો સાથે રહીને અને અનાર્ય શિક્ષણ લઈને આર્ય છતાં અનાર્ય જેવા બનેલા લોકો સાથે વ્યવહાર ચાલુ કર્યો, એટલે તમારો વ્યવહાર તારીખના આધારે ચાલવા લાગ્યો. બાકી તો આ બધો જ વ્યવહાર તિથિ મુજબ જ ચાલવો જોઈએ. ઉપ ― રોજીંદા વ્યવહારમાં તિથિની આવશ્યકતા : સભા: અમારા રોજીંદા ધર્મવ્યવહારમાં તિથિ કઈ રીતે ઉપયોગી ગણાય ? શ્રાવકના જીવનમાં સદાય જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાઓ કરવાની હોય, એ માટે એને જ્ઞાન, દર્શન, ચારિત્રની તિથિઓ નક્કી કરવી પડે. શ્રાવકને ખબર હોય છે કે મોટે ભાગે આયુષ્યનો બંધ પર્વતિથિના દિવસે જ પડે છે. માટે એને ૨, ૫, ૮, ૧૧, ૧૪ તિથિ ક્યારે છે, એ જાણવું અને એ દિવસે દુર્ગતિનું આયુષ્ય ન બંધાય, પણ સદ્ગતિનું જ આયુષ્ય બંધાય. તે માટે તે જે નાના-મોટા તપ, ત્યાગ, વ્રત, જપ વગેરે ક૨વાનાં હોય. આ માટે પણ આજે કઈ તિથિ છે, તે તેણે જાણવું પડે છે. માટે જ ‘શ્રાદ્ધવિધિ’કારે આગમની સાક્ષી આપીને આ વાત જણાવતા કહ્યું છે કે – 'xxपर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्ध - हेतुत्वादिना । ‘ભવવું ! વીવપમુદ્દાસુ પંચતુ તિીતુ [વિદ્દિગં] यदागमः धम्माट्ठाणं किं फलं होइ ?' 'गोयमा ! बहुफलं होइ, जम्हा एआसु तिहीसु पाएणं जीवो परभवाउं समणिज्जइ, तम्हा तवोविहाणाइधम्माणुट्ठाणं कायव्वं । जम्हा सुहाउअं समणिज्जइत्ति ।' ‘પર્વતિથિઓનું પાલન મહાફ્ળને આપનારું છે. કારણ કે એથી શુભ આયુષ્યનો બંધ થવો વગેરે લાભ થાય છે.' આગમમાં પણ કહ્યું છે કે (શ્રી ગૌતમસ્વામીજીએ પ્રભુને પૂછ્યું) Jain Education International 65 - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy