SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧ - ૫ ઃ આરાધનામાં તિથિનું મહત્ત્વ - 5 61 સભા: સાહેબજી ! આપે આ ‘સંધ્યાગત' વગેરે નક્ષત્રોમાં અધ્યયનાદિ કરવાથી કેવાં કેવાં નુકસાન થાય તે જણાવ્યું. પણ કયા નક્ષત્રોને સંધ્યાગત વગેરે તરીકે ઓળખવાં ? એ જણાવ્યું નહિ. આ માટે તમારે વિશેષ અભ્યાસ કરવો પડશે. આમ છતાં ટુંકાણમાં કહું તો, જે નક્ષત્રમાં સૂર્ય હોય તે નક્ષત્રથી ચૌદમું કે પંદરમું જે નક્ષત્ર હોય તેને “સંધ્યાગત' નક્ષત્ર કહેવાય છે. જે નક્ષત્રમાં સૂર્ય રહેલો હોય તે નક્ષત્રને રવિગત' નક્ષત્ર કહેવાય છે. પૂર્વદિશાનાં નક્ષત્રો હોય ત્યારે પૂર્વદિશામાં જવું જોઈએ. જો અન્ય દિશાથી જવાય તો “વિડેર' કહેવાય છે. જે નક્ષત્ર ક્રૂર ગ્રહોની સાથે હોય તે “સગ્રહ' નક્ષત્ર કહેવાય છે. જે નક્ષત્રને સૂર્ય ભોગવીને છોડી દીધું હોય તે વિલંબી નક્ષત્ર કહેવાય છે, જે નક્ષત્રમાં રાહુનું ગ્રહણ થયું હોય તે નક્ષત્ર “રાહુહત' કહેવાય છે અને જે નક્ષત્ર ગ્રહથી ભેદાયેલું હોય તેને “ગ્રહભિન્ન' નક્ષત્ર કહેવાય છે. આટલું સમજીને યાદ રાખશો તો પણ તમારું કામ થઈ જશે. ધર્મારાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુદ્ધિ અનિવાર્ય : શાસ્ત્રકાર ભગવંતોએ દરેક પ્રકારની ધર્મ-આરાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આદિની શુદ્ધિ જોવા ઉપર ખૂબ ભાર આપેલો છે. ધર્મ-આરાધનાનો ઉદ્દેશ જીવને અનંત દુઃખથી છોડાવી અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિ કરાવવી એ છે. મોક્ષની પ્રાપ્તિ માટે જીવે પૂર્વે બાંધેલાં કર્મોનો ક્ષય કરવાનો હોય છે. જ્યાં સંપૂર્ણ કર્મનો ક્ષય શક્ય કે સંભવિત ન હોય ત્યાં તેનો આંશિક ક્ષય અને આંશિક ઉપશમન કરવાનું હોય છે. એ સિવાય મુક્તિમાર્ગમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ સહાયક બનતો હોય છે. આ કર્મોનો ક્ષય અને ઉદય વગેરે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની શુદ્ધિ પર આધાર રાખે છે. એટલે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની શુદ્ધિ હોય તો કર્મનો ક્ષય પણ સધાય કે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પણ પ્રાપ્ત થાય. એ જ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિની અશુદ્ધિ હોય તો કર્મનો ક્ષય ન થાય, પરંતુ નવો બંધ કે ઉદય થાય એમ પણ બને. માટે જ દીક્ષા ક્યારે અને ક્યાં અપાય - ન અપાય ? – એની વિચારણામાં સૂરિપુરંદર પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ક્ષેત્રાદિની શુદ્ધિ જોવાની ભલામણ કરતાં “પંચવસ્તકમાં જણાવ્યું છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy