SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ - ૧ – આગમ જાણો ! 48 આકાશમાર્ગે બે ચારણ મુનિ જતા હતા, તે બોલ્યા કે “આ પાઠકના બે શિષ્યો નરકે જવાના છે અને એક સ્વર્ગે જવાનો છે.” પાઠકને આ સાંભળી આઘાત લાગ્યો અને એમને થયું કે શું મારા શિષ્યો નરકે જવાના? કયા બે શિષ્યો નરકે જવાના તે જાણવા તેમણે ત્રણેને લોટના કુકડા બનાવી આપ્યા, અંદર લાખનો રસ ભર્યો અને ગળે દોરો બાંધીને કહ્યું કે “આ કૂકડાઓ મંત્રશક્તિથી મૂછિત થયેલા છે. તમારે કોઈ ન જુએ તેવી જગ્યાએ જઈને એને મારવાના છે.” બે જણા ગામ બહાર ગયા અને જોયું કે આજુબાજુમાં કોઈ જોતું નથી, એટલે એ એને મારીને આવી ગયા. લોટના બનાવેલ કુકડામાં લાખનો રસ ભરેલો હતો. તે રસથી તેમનાં કપડાં વગેરે લાલ થયાં. બન્ને શિષ્યો કપડાં અને હાથપગ ધોઈને શુદ્ધ થયા અને ગુરુને આવીને કહ્યું કે “અમે આપની આજ્ઞા પાળી આવ્યા છીએ !” પોતાનો પુત્ર : પર્વત અને રાજપુત્ર : વસુ. બન્ને નરકગામી નક્કી થયા. ત્રીજા નારદપુત્રે કૂકડો પાછો લાવી પાઠકને આપ્યો - પાઠક તેના કર્તવ્યથી ખુશ થયા. છતાં જાણવા પૂછ્યું કે, “પાછો કેમ લાવ્યો ?” તેણે કહ્યું કે, “આપના કહેવાનો અર્થ હું એવો સમજ્યો કે, કોઈ ન જુએ તેવી જગ્યાએ મારવો એટલે એને ક્યાંય ન મારવો.” ગુરુએ પૂછ્યું કે, “એવો અર્થ તું શી રીતે સમજ્યો ?” તો એનો ખુલાસો કરતાં એણે કહ્યું કે, કુકડાને લઈને નીકળ્યો ત્યારે ચારે બાજુ લોકો જોતા હતા. ગામ બહાર ગોવાળીયાઓ જોતા હતા. ગાયનાં ધણ અને પક્ષીઓ જોતા હતા. ગુફામાં ગયો તો, મારી પોતાની આંખો જોતી હતી. પછી આંખો બંધ કરી તો ઉપર રહેલા સિદ્ધો જોતા હતા. છતાં તે નથી તેમ માની વિચાર્યું તો, મારો પોતાનો આત્મા જોતો હતો, તેથી નિર્ધાર્યું કે, દુનિયામાં કોઈ એવી જગ્યા જ નથી કે જ્યાં કોઈ ન જોતું હોય. તેથી કોઈ ન જોતું હોય ત્યાં આને મારવો એનો અર્થ હું એવો સમજ્યો કે આને ક્યાંય ન મારવો, એટલે એને માર્યા વિના જ હું પાછો લાવ્યો છું.” આને કહેવાય વિશેષજ્ઞ ! આવા વિશેષજ્ઞ આપણે બનવાનું છે. તમારે પાપ કરવું જ છે, તો કોઈ ન જુએ ત્યાં કરવું.” એમ જો તમને કોઈ કહે તો એનો સાચો મર્મ તમે સમજી શકો ! માટે વિશેષજ્ઞતા જોઈએ. નહીં તો આ સૂત્રકૃતાંગ સૂત્રના શબ્દોને પકડી તરવાના બદલે ડૂબવાનું કામ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy