SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ – ૪: આગમના અધ્યયન માટે લાયક કોણ? -4 – 47 કરવી છે. એ છે “અનુવર્તકપણું.” ૨-૪ – અજુગત્તઃ અનુવર્તક : ગુરુને અનુસરનાર. શિષ્યના હૃદયમાં એક જ ભાવ હોવો જોઈએ કે મારા માટે મારા ગુરુ શું ઈચ્છે છે ? ગુરુ જે ઈચ્છે તેમજ કરવાનો શિષ્યનો ભાવ હોવો જોઈએ. શિષ્ય ગુરુની ઈચ્છા મુજબ ચાલે એમાં જ એનું કલ્યાણ છે. શિષ્ય એવો વિનીત હોય કે એ નિરંતર ગુરુની ઈચ્છાને જાણવાનો અને તેને અનુસરવાનો પ્રયત્ન કરે. શિષ્યનું એવું વર્તન ક્યારેય પણ ન હોવું જોઈએ કે ગુરુએ એની ઈચ્છાનો વિચાર પણ કરવો પડે કે ગુરુએ એને અનુસરવું પડે. શિષ્ય ગુરુને અનુસરે એમાં શિષ્યનું કલ્યાણ છે અને ગુરુએ જો શિષ્યને અનુસરવું પડે તો એમાં બેયનું અકલ્યાણ છે. હવે તમે મને કહો કે ગુરુ તમને અનુસરે, તે તમને ગમે કે તમે ગુરુને અનુસરો તે તમને ગમે ? શિષ્યોને ગુરુએ અનુસરવું પડે તો સમજવું કે શિષ્યો માટે એ કલંક છે. ગુરુ ઝંખે તેમ જીવવું તે શિષ્ય માટે કલ્યાણકર છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનીત શિષ્યનું સ્વરૂપ દર્શાવતાં કહ્યું કે “પિયા /રિસંપન્ને” સાચો શિષ્ય હોય તે ગુરુનો આકાર, હાવભાવ જોઈને, ગુરુ શું ઈચ્છે તે જાણી તેમને ઇષ્ટ હોય તે જ પ્રવૃત્તિ કરે. હવે તમારે શું કરવું ? તે તમારે નક્કી કરવાનું છે. ૨-૫ - વિરેસાઃ વિશેષજ્ઞ વિશેષતાનો નિર્ણય કરી શકે તે વિશેષજ્ઞ. બે સારી કે ખરાબ વસ્તુમાંથી વધુ સારું કે ખરાબ શું ? એ સમજવાની શક્તિ વિશેષજ્ઞમાં હોય છે. એકસરખી દેખાતી બે વસ્તુમાં પહેલી નજરે ન દેખાતી વિશેષતાને જાણવાની, શોધવાની, નિશ્ચિત કરવાની તાકાત વિશેષજ્ઞમાં હોય છે. એથી તે તત્ત્વના વિષયમાં, ગુરુની ઈચ્છા, આજ્ઞાના તાત્પર્યને સમજવામાં ભૂલ કરતો નથી. આથી ગુરુએ કહેલા કે શાસ્ત્રમાં કહેવાયેલાં એક એક વચનના ઊંડા પરમાર્થને સહેલાઈથી સમજી જાય છે. જેથી તે માત્ર શબ્દગ્રાહી ન બનતા મર્મગ્રાહી બનીને ગુરુવચનની, શાસ્ત્રવચનની આરાધના તાત્ત્વિક રીતે કરી શકે છે. આ વાત હું તમને ક્ષીરકદંબક પાઠકના વચનથી સમજાવું. ક્ષીરકદંબક નામના એક પાઠક ઘરની અગાસીમાં પોતાના ત્રણ વિદ્યાર્થી સાથે સૂતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy