SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? - 4 આ માટે ‘ગુરુતત્ત્વ વિનિશ્ચય'માં સ્પષ્ટ લખ્યું છે કે, જેનું ચિત્ત સંતપ્ત હોય, જે આત્મા મલિનભાવોથી મલિન હોય, તેને ગમે તેટલી વાતો સંભળાવવામાં આવે તો પણ તે એંઠવાડમાં પડેલા અમૃત ભોજનની જેમ પરિણામ નથી પામતી, જ્યારે આલોચના દ્વારા ભાવોની વિશુદ્ધિ થાય ત્યારે તાત્ત્વિક વાતો તાત્ત્વિક રીતે પરિણામ પામે છે, માટે ગુરુ સાક્ષીએ આલોચના કરવી જોઈએ. આપણે ત્યાં ક્રિયાની વિધિ પણ એવી જ ગોઠવી છે, બહાર જઈને આવ્યા એટલે ઈરિયાવહિ કરવી જ જોઈએ. ગમનાગમન દરમ્યાન થયેલ પાપનાં શુદ્ધિકરણ માટે જો ઈરિયાવહિ ફરજિયાત હોય તો બાકીના પાપોનું શુદ્ધિકરણ કરવા માટે આલોચના કરવી કેમ જરૂરી ન હોય ? શુદ્ધિ થયાં વિના આત્મામાં પાપો રહી ગયાં હોય તો શું આત્મવિકાસ થાય ? ૩૯ www - માટે આજ સુધીમાં થયેલ પાપોનું જેમણે પણ ગુરુ સાક્ષીએ શુદ્ધિકરણ ન કર્યું હોય, તેવા પુણ્યાત્માઓએ હૃદયથી નિખાલસ બની, સમર્પિત બની, ગુરુ સાક્ષીએ જીવનના પ્રત્યેક પાપોની આલોચના કરી લેવી જોઈએ. આલોચના કરવામાં પ્રમાદ ન ક૨વો જોઈએ. આલોચના કરવાનો ભાવ હોય, એ માટેનો પ્રયત્ન પણ આરંભ્યો હોય અને આલોચના લે એ પહેલાં જ આયુષ્ય પૂરું થવાથી જીવ મરી જાય તો પણ તે આરાધક જ થાય છે, એમ ‘સંબોધ પ્રકરણ’ ગ્રંથમાં જણાવ્યું છે. ત્યાં લખ્યું છે કે Jain Education International 39 'आलोयणापरिणओ, सम्मं संपठिओ गुरुसगासे । जइ अंतरा वि कालं, करिज्ज आराहगो तहवि ।। ' ‘આલોચના લેવાના ભાવવાળો ગુરુ પાસે જવા માટે સારી રીતે આગળ વધી ગયો હોય, એ જો વચ્ચે જ કાળ કરી જાય તો પણ આરાધક બને છે.’ આજે ઘણીવાર આલોચના કેવી કરાય છે ? ‘પાંચ કીડી મરી ગઈ, દશવાર આમતેમ બની ગયું,' તેમ કરો તે સાચી આલોચના નથી. પણ જે પાપ જે ભાવે - જે સ્વરૂપે – જે માત્રાએ થયું હોય, તેનો તે રીતે ગુરુ પાસે જઈ એકરાર કરવો જોઈએ – અમાયાવી બનીને બધું જ કહેવું જોઈએ, જેવા હોય તેવા ખુલ્લા થઈ, નિર્મળભાવે, બાળકની જેમ, બધું જ બન્યા મુજબ કહેવું જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy