SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ : આગમના અધ્યયન માટે લાયક કોણ ? – 4 ભગવાનના આગમો માટે પણ ભગવાન વિશેષણ ! દેવવંદન-પ્રતિક્રમણમાં પુખ્ખરવરદીવà૦ સૂત્ર બોલ્યા બાદ શ્રુતજ્ઞાનની આરાધના માટે કાયોત્સર્ગ કરાય છે. ત્યારે પણ ‘સુયસ્સ ભગવઓ’ બોલાય છે ને ? શ્રુતજ્ઞાનને પણ ભગવાન તરીકે સંબોધેલ છે. તેમ અહીં સૂયગડાંગ સૂત્રને માટે પણ ‘ભગવાન’ વિશેષણ વાપરેલ છે. ૩૭ - ભગવાન પોતે તો ભગવાન છે જ. ભગવાન સંબંધિ વસ્તુઓ પણ અપેક્ષાએ ભગવાન બને છે. GAR પૂર્વેના શ્રાવકો આગમોનું શ્રવણ કરીને આવતા ને પછી બોલતા, ‘અમે શ્રી ભગવતીજી સાંભળ્યું, શ્રી ઠાણાંગજી સાંભળ્યું.’ એમ સૂત્રની પૂર્વે ‘શ્રી’ અને પાછળ ‘જી' લગાડીને ભક્તિભાવ, આદર સૂચવાતો હતો. અધ્યયનની લાયકાતના આઠ મુદ્દા : આ સૂત્રકૃતાંગને વાંચવાના, ભણવાના અધિકારી કોણ ? તેને સાંભળવાના અધિકારી કોણ ? એનો ખ્યાલ આપું તો સમજણ કેળવવાનું મન થાય. માત્ર એમને એમ વાંચી-સાંભળી જવાથી કામ ન સરે. માત્ર સંભળાવવાનું હોય અને સાંભળી જવાનું હોય તો આશાતનાના ભાગી બનીએ. એ લાયકાતના આઠ મુદ્દા છે, આની વાચના કઈ રીતે થાય તે જણાવતાં ચૂર્ણિકાર મહર્ષિ ‘વિશેષાવશ્યક ભાષ્ય'ની ગાથા ટાંકીને જણાવે છે કે - ‘આોથળા રૂ વિળયે । એત્ત-વિસામિાદે ય જાહે હૈં । रक्ख गुणसंपया विय, 'अभिववहारे य अट्टमए || ३ || ' ‘આલોચના-૧, વિનય-૨, ક્ષેત્ર-૩, દિશા-૪, કાળ-૫, નક્ષત્ર-૬, ગુણસંપત્તિ-૭ અને આઠમો અભિવ્યવહાર.' 37 - આ રીતે વિશેષાવશ્યક ભાષ્યમાં આવશ્યક નિર્યુક્તિની ગાથા ટાંકીને જણાવ્યું છે કે જેણે - Jain Education International - વિ.આ.મા.. ૨૨૧૬ 1 ૧- આલોચના લીધેલ હોય, ૨ - જે વિનીત હોય, ૩ - જ્યાં તે માટેનું ક્ષેત્ર અનુકૂળ હોય, ૪ દિશા અનુકૂળ હોય, ૫ - જ્યારે તે માટેનો કાળ અનુકૂળ નક્ષત્ર અનુકૂળ હોય, ૭ - તે વ્યક્તિમાં ગુણસંપદા હોય, ૮ અને હોય, For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy