SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ – આગમના અધ્યયન માટે લાયક કોણ? 4 - વિ. સં. ૨૦૫૮, અષાઢ વદ-૫, સોમવાર, તા. ૨૯-૭-૦૨, સાચોરી ભવન, પાલીતાણા - - વસ્તુનો મર્મ સમજવો હોય તો આગમ પંચાંગી • તીર્થંકરો અને ગણધરોનો મહાન ઉપકાર : અનિવાર્ય છે : - અધ્યયનની લાયકાતના આઠ મુદ્દા - જેનું જીવન મંગળરૂપ તે જગત માટે મંગળરૂપઃ, બહેનો ધારે તો ઉત્કૃષ્ટ ગુરુભક્તિ કરી શકે ? • જેટલી લાયકાત, તેટલો વિકાસ વિષય: અધ્યયનની યોગ્યતાની આઠ બાબતો. મૂળ સૂત્રમાં તો માત્ર વસ્તુનું સૂચન જ હોય છે. એનો વિસ્તારાર્થ અને રહસ્યાર્થ તો નિયુક્તિ, ચૂણિ, ભાષ્ય અને ટીકાનું ગુરુગમથી અધ્યયન કરીએ તો જપમાય. અહીં નિર્યુક્તિ આદિમાં કઈ કઈ શૈલીથી મૂળ સૂત્રના રહસ્યાર્થો ખોલવામાં આવે છે, તેની ચાવી બતાવવામાં આવી છે. ત્યારબાદ એ દરેક અંગોના મંગલાચરણોનું સ્વરૂપ, ઉદ્દેશ અને તેની શબ્દ સંરચના સમજાવી સૂત્રાર્થનું અધ્યયન કરવા માટે જરૂરી આઠ બાબતોને વિસ્તૃત રીતે સમજાવવામાં આવી છે. એમાં આલોચના અંગે સુંદર સ્પષ્ટતા કરી છે તો વળી ગુરુભક્તિને દર્શાવતો જગદ્ગુરુશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના વખતે બનેલો એક પ્રસંગ ભાવાત્મક રીતે વર્ણવ્યો છે. અંતે સાધના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અનિવાર્યતા કઈ રીતે છે? તે જણાવી પ્રવચન પૂર્ણ કર્યું છે. પ્રવચનનું પ્રતિબિંબ * મંગળ તો જ થાય જેણે પોતાનું જીવન મંગળરૂપ કર્યું હોય. * ભગવાન પોતે તો ભગવાન છે જ. ભગવાન સંબંધિ વસ્તુઓ પણ અપેક્ષાએ ભગવાન બને છે. * જે પાપ જે ભાવે - જે સ્વરૂપે - જે માત્રાએ થયું હોય, તેનો તે રીતે ગુરુ પાસે જઈ એકરાર કરવો જોઈએ. * શિષ્ય ગુરુને અનુસરે એમાં શિષ્યનું કલ્યાણ છે અને ગુરુએ જો શિષ્યને અનુસરવું પડે તો એમાં બેયનું અકલ્યાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy