SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ - ૧ – આગમ જાણો ! - 30 પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં-વાયુમાં, વનસ્પતિમાં. ત્યારબાદ ત્રસકાય તરીકે બેઈન્દ્રિયમાં, ઈન્દ્રિયમાં, ચઉરિન્દ્રિયમાં અને પંચેન્દ્રિયમાં. એ પંચેન્દ્રિયમાં પણ દેવમાં, નારકમાં, તિર્યંચમાં અને મનુષ્યમાં. આ છએ જીવનિકાયમાં જીવત્વ કેવું ધબકતું છે, તેની કેવી ચેતના છે, તેની કેવી સંવેદનાઓ છે, તે વાત સુંદર રીતે ત્યાં બતાવી છે અને તે આત્મતત્ત્વને પ્રગટ કરવા કેવા આચારો પાળવા કેવી સાધના કરી તે શ્રી આચારાંગસૂત્રમાં બતાવ્યું છે. છએ જીવનિકાયના જીવો આત્મારૂપે સરખા હોવા છતાં તેમાં વૈવિધ્ય શા માટે ? કોઈને એક ઈન્દ્રિય મળી, કોઈને બે ઈન્દ્રિય મળી, કોઈને ત્રણ ઈન્દ્રિય મળી, કોઈને ચાર ઈન્દ્રિય મળી અને કોઈને પાંચ ઈન્દ્રિય મળી, પંચેન્દ્રિયમાં પણ કોઈ દેવ - કોઈ મનુષ્ય - કોઈ નારક અને કોઈ તિર્યંચ એમ બધા જુદા જુદા એવું કેમ ? અહીં જેટલા માણસો છે, તેમાં પણ બધાના ચહેરા જુદા-જુદા, કોઈનો ચહેરો એકસરખો જોવા ન મળે, તેમાં ય દરેકની આંખ પણ એકસરખી જોવા ન મળે. નાક પણ એકસરખું જોવા ન મળે. અરે ! હાથ પણ સરખા જોવા ન મળે. બધું જુદું-જુદું. આ વૈવિધ્યનું કારણ શું? દરેકનો સ્વભાવ, તાસીર, ઉછેર આદિમાં પણ ફેરફાર કેમ ? તેનું કારણ શું ? એનો જવાબ શ્રી સૂયગડાંગસૂત્રમાં આપવામાં આવ્યો છે. જો આત્માને કર્મનાં બંધન વળગ્યાં ન હોત તો આ બધી વિષમતાઓ ન હોત. આ કર્મનાં બંધનો, એ કર્મબંધનનાં કારણો અને એને પ્રોત્સાહન આપનારા મિથ્યામતો-મિથ્યદર્શનોની વાતો કરીને તેનાથી બચવાના માર્ગો આ આગમોમાં વર્ણવ્યા છે. કર્મનાં બંધનો આપણને અનાદિકાળથી વળગેલાં છે. તેનાથી જ બધા આત્માઓ એકરૂપ હોવા છતાં વૈવિધ્યતા પામ્યા છે. તે વૈવિધ્યતા કઈ રીતે દૂર કરવી, સહજ એકરૂપતા કેમ પામવી, તે કર્મોને કેવી રીતે ઓળખવાં, કેવી રીતે તોડવાં. તે કર્મરૂપ બંધનને લગતી બધી વાતો સમજાવવા શ્રી સૂયગડાંગસૂત્રની રચના કરી છે. તેમાં બતાવેલા પદાર્થોને વિગતવાર જોવાના છે. આ મહાન આગમ ગ્રંથના પ્રકાશે આપણે ક્રમશઃ એ બધી વાતો જોઈશું, વિચારશું અને આત્મવિકાસની દિશામાં આગળ વધશું. (આજે વાચનનો ત્રીજો સળંગ દિવસ હોઈ, રવિવારીય અન્ય વિષયક પ્રવચન હોવા છતાં મંગળરૂપે આટલું પ્રવચન કરાયું હતું.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy