SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩: આચારાંગ આત્મક્ષિદ્ધિ નો મહાગ્રંથ છે અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સર્વ પ્રથમ શ્રી આચારાંગસૂત્રની રચના કરી, બીજા નંબરે સૂયગડાંગ નામનાં મહાન આગમ ગ્રંથની રચના કરી છે. આ બન્નેયનો એક-બીજા સાથે સંબંધ શું એની પણ આજે આપણે વિચારણા કરવી છે. જૈનશાસનની અને જૈનશાસનને વરેલા મહાન જૈનાચાર્યોની એ વિશિષ્ટ પ્રણાલિકા છે કે તેઓ કોઈપણ એક અંગનો તેના પછીના અંગ સાથે, કોઈપણ એક શ્રુતસ્કંધનો તેના પછીના શ્રુતસ્કંધ સાથે, કોઈપણ એક અધ્યયનનો, તેના પછીના અધ્યયન સાથે, કોઈપણ એક ઉદ્દેશાનો, તેના પછીના ઉદ્દેશા સાથે અને કોઈપણ એક સૂત્રનો તેના પછીના સૂત્ર સાથે સંબંધ શું છે ? તેની સ્પષ્ટતા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે ટીકા વગેરે વ્યાખ્યા ગ્રંથોમાં કરતા હોય છે. જેનાગોમાં પરસ્પરના સંબંધ વગરનું કશું જ હોતું નથી. જે પણ કહેવાયું છે કે કહેવાય છે કે જે પણ કહેવાશે, તે બધું જ કોઈને કોઈ અપેક્ષાએ એકબીજા સાથે સંબંધિત હોય છે. આ સંબંધને વ્યાખ્યામાં સરસ રીતે રજૂ કરવામાં આવે છે. મનમાં આવે ને રજૂ કરાય તેવું અહીં હોતું નથી. જેમ એક-એક શ્રુતસ્કંધો, એક-એક અધ્યયનો, એક-એક ઉદ્દેશાઓ અને એક એક આલાવાઓ-સૂત્રોના ચોક્કસ સંબંધ હોય છે; તેમ શ્રીમદ્ આચારાંગ સૂત્ર અને શ્રીમતું સૂયગડાંગ સૂત્રની વચ્ચે પણ ચોક્કસ સંબંધ છે. શ્રી આચારાંગસૂત્રમાં સૌથી પહેલાં જીવતત્ત્વની-આત્મતત્ત્વની સિદ્ધિ કરી છે. તે માટે અનેક તર્કો આપ્યા છે. ત્યારબાદ તે જીવત્વ ક્યાં ક્યાં ધબકે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy