SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ - ૧ - આગમ જાણો ! – 18 શહેરોનું માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. માલકૌંસ રાગમાં પરમાત્માની દેશના શરૂ થઈ, તેમાં મધુર સ્વર પૂરવા દેવોએ દિવ્યધ્વનિ શરૂ કર્યો. પરમાત્માએ જ્ઞાનથી જોયું કે, શાસન સ્થાપના કરવા યોગ્ય આત્માઓ આ પર્ષદામાં નથી. માટે માત્ર કલ્પ પૂરતી દેશના આપીને તે દેશના પૂર્ણ કરી. પરમાત્મા ત્યાંથી આગળ વધી અપાપા નગરીનાં ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં પણ નવા સમવસરણની રચના થઈ ગઈ હતી. પરમાત્મા જ્યાં જ્યાં જાય ત્યાં સમગ્ર વિશ્વનું સામ્રાજ્ય તેમની સેવામાં ખડું થઈ જતું હતું. પરમાત્મા જ્યાં વિચરે ત્યાં રોગ-શોક, અતિવૃષ્ટિ-અનાવૃષ્ટિ, દુષ્કાળ, મારી-મરકી જોવા મળે નહિ. ચારે બાજુ યોગનો જ વૈભવ જોવા મળે. સમગ્ર સૃષ્ટિ પોતાની તમામ શક્તિ વાપરી પરમાત્માની સેવામાં સમુત્સુક થઈ જતી. સમગ્ર આકાશ દેવ-દેવેન્દ્રોથી ભરાઈ ગયું. તે સમયે અપાપા નગરીના મહાસેન વનમાં નવી જ ઘટના આકાર લઈ રહી હતી. મિથ્યાત્વનો કારમો નાચ: તે વખતના આર્યાવર્તનાં દિગ્ગજ કોટિનાં અગ્યાર બ્રાહ્મણો યજ્ઞ-યાગને ધર્મ માનતા હતા, તેઓ ચૌદ વિદ્યાના પારગામી હતા. વેદ-વેદાંતો તેમને નામની જેમ કંઠસ્થ હતાં. અધ્યયન કરવા-કરાવવાની, વાદ કરવાની, એમની ક્ષમતા અપૂર્વ અને અદ્વિતીય હતી. કોઈ ૫૦૦-૫૦૦ના કોઈ ૩૦૦-૩૦૦ના, કોઈ ૩૫૦-૩૫૦ શિષ્યોના ગુરુ હતા. જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં વાદીઓને જીતતા. બધા વાદીઓ તેમનાથી ભાગતા, ગભરાતા અને શરણાગતિ સ્વીકારતા. એકબે વિદ્વાનોને બોલાવવા એ પણ જ્યાં અઘરું, ત્યાં અગ્યાર-અગ્યાર મહાવિદ્વાનોને બોલાવીને સોમિલ બ્રાહ્મણે મહાયજ્ઞનો આરંભ કર્યો હતો. તે બધા પોતાને સર્વજ્ઞ માનતા હતા. તે પોતાને મહાજ્ઞાની માની શકે તેવું નક્કર જ્ઞાન તેમની પાસે હતું. છતાં એ સર્વજ્ઞ ન હતા. પોતાને સર્વજ્ઞ માનતા હતા તે તેમનું મિથ્યાત્વ હતું. છતાં એવું એ ગાઢ તો ન જ હતું કે, નિમિત્ત મળે છતાં ન જ તૂટે. સ્વયં સર્વજ્ઞ ન હોવા છતાં સર્વજ્ઞપણાનું અભિમાન એવું હતું કે, પોતાનો સંશય શિષ્ય કે સહવર્તી વિદ્વાન ન જાણી જાય તેની તેઓ કાળજી રાખતા હતા. એ કાળમાં યજ્ઞનો ખૂબ મહિમા મનાતો. દુ:ખનાશ અને સુખપ્રાપ્તિ માટે એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy