SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ જાણો ! આગળ વધે તો માતા-પિતાની હાજરીમાં જ ચારિત્રમોહનીય અવશ્ય તૂટે અને ચારિત્રમોહનીય તૂટે તો પ્રભુની દીક્ષા અવશ્ય થાય. આ રીતે જો માતા-પિતાના જીવનકાળમાં જ પ્રભુની દીક્ષા થાય તો તેના આઘાતમાં માતા-પિતાના સોપક્રમ આયુષ્યની દોરી તૂટે અને માતા-પિતાનું મૃત્યુ પણ નિશ્ચિતપણે થાય. આ અનિષ્ટને અટકાવવાનો એક જ ઉપાય હતો કે પ્રભુ પોતે પોતાની વૈરાગ્યધારાને અટકાવે અને એને અટકાવવાનો એક જ ઉપાય હતો કે માતા-પિતાનાં જીવતાં દીક્ષા નહિ લઉં, એવો અભિગ્રહ કરવો. પરમ વિવેકને વરેલા પરમ ઔચિત્યના નિધાન એવા પ્રભુએ વિચાર્યું કે મા૨ા નિમિત્તે, માતા-પિતાનું આ રીતે અહિત થાય તે તીર્થંકર તરીકે મારા માટે જરાય ઉચિત નથી, એમ જાણીને પ્રભુએ ગર્ભકાળમાં જ અભિગ્રહ કર્યો કે, માતા-પિતા જીવતાં હશે ત્યાં સુધી દીક્ષા નહિ લઉં. ૧૪ ૧ - Jain Education International આ દાખલો આગળ કરી કેટલાકો કહેતા હોય છે કે, માતા-પિતાનાં જીવતાં એમને રડતાં મૂકીને દીક્ષા લેવાય નહિ. મરુદેવા માતાને રડતાં મૂકીને પરમાત્મા ઋષભદેવે અને શિવાદેવી માતાને રડતાં મૂકી - રાજુલને રડતી મૂકીને નેમિકુમારે દીક્ષા લીધી જ હતી. તેનાં દૃષ્ટાંત સુપ્રસિદ્ધ હોવા છતાં મોટે ભાગે જાણી-જોઈ ભૂલી જવાય છે. 14 સંસાર પ્રત્યેની વિરક્તિ પરમતારકના રોમેરોમમાં પરિણામ પામેલી હતી. સંસાર માંડવો ન હતો, પણ માતા-પિતાનો લગ્ન માટે ખૂબ આગ્રહ જોયો, ત્યારે ફરી જ્ઞાનનો ઉપયોગ મૂક્યો, જોયું કે કર્મ એમને એમ ખપે તેમ નથી. પરમાત્મા મૌન રહ્યા. મૌનને સંમતિ માનીને માતા-પિતાએ લગ્ન કરાવ્યાં. માતા-પિતા પ્રભુની અઠ્યાવીશ વર્ષની ઉંમર સુધી જીવ્યાં. માતા-પિતા દિવંગત બન્યા પછી સર્વવિરતિ લેવા માટે ભાઈ નંદિવર્ધન પાસે અનુમતિ લેવા ગયા. શ્રી આચારાંગ સૂત્રમાં શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે કે, અગર ત્યારે પરમાત્માએ દીક્ષા લીધી હોત, તો નંદિવર્ધન જેવા કેઈ પાગલ બની જાત. તેથી પરમાત્માએ તેમના જ મોઢે બોલાવ્યું કે, ‘બોલો કેટલો વખત !' ‘બે વર્ષ !’ ‘તેમાં પણ હું સાધુની જેમ રહીશ. સ્નાનાદિ નહિ કરું. અન્ય કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહિ લઉં અને ધ્યાનમાં રહીશ, પ્રતિજ્ઞાથી રહીશ.' નંદિવર્ધને વિચાર્યું તે રીતે પણ બંધુ ૨હેતા હોય તો રાખવા છે. પરમાત્મા બે વર્ષ ગૃહવાસમાં વધારે રહ્યા અને તેમાંથી જ્યારે એક વર્ષ બાકી રહ્યું, ત્યારે નવલોકાંતિક દેવો આવ્યા અને ‘મુન્દ્રાદિ મયવં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy