SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ – ૨: સૂયગડાંગ સૂત્રનો ઉદ્ભવ : પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન - 2 – 15 શેરાના ' - એમ કહીને ધર્મતીર્થ પ્રવર્તાવવાની વિનંતી કરી. એ વિનંતિનો સ્વીકાર કરીને પ્રભુએ એક વર્ષ સુધી વર્ષીદાન આપીને સંસાર ત્યાગ કર્યો. જે સમયે પરમાત્મા સંસારનો ત્યાગ કરવા સંચરી રહ્યા હતા, તે પ્રસંગનું ચૌદ પૂર્વધર મહર્ષિ, શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજાએ કલ્પસૂત્રમાં જે અદ્ભુત વર્ણન કર્યું છે, તે ભાષાને, તે શબ્દોને સમજવાની, સંવેદવાની ક્ષમતા હોય, તો અનુપમ આનંદ થાય છે. તો એ દશ્યને અહીં બેઠાં બેઠાં જોવાની ક્ષમતા આપણામાં હોય તો લાગે કે તે દશ્ય કેવું હશે ! પ્રભુ નગરની બહારનાં ઉદ્યાનમાં પધાર્યા - અલંકારાદિનો ત્યાગ કર્યો - પંચમુષ્ટિ લોચ કર્યો. તીર્થને નમસ્કાર કરીને “કરેમિ સામાઈયની પ્રતિજ્ઞા પરમાત્માએ કરી. ઈન્દ્ર પરમાત્માના ખભા ઉપર દેવદૂષ્ય મૂક્યું. તે જ વખતે પરમાત્માને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. પરમાત્મા અણગાર બન્યા. પરમાત્મા નિઃસંગ બન્યા. સીધા સાતમે ગુણસ્થાનકે ગયા અને તે પછી છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકની રમણતા શરૂ થઈ ગઈ. પ્રભુ શ્રીવીરની સંયમ સાધના : પરમાત્માનો જે ૧૨ વર્ષ ને ૧૫ દિવસનો સાધનાકાળ બતાવ્યો છે, તે પણ વિશિષ્ટ છે. પરમાત્માએ અનેક ઉપસર્ગોને સહન કર્યા છે. બાવીશ પરીષહોને ઉભા કરી કરીને વેક્યા છે. ઘોર તપ કર્યો છે. સાડી બાર વર્ષના સાધનાકાળમાં માત્ર ૩૪૯ પારણાં કર્યાં છે. તે પણ ઠામચોવિહારાં. જ્યાં ગયા ત્યાં જે દ્રવ્ય મળ્યું, તેનાથી પારણાં કર્યા છે. એ તપમાં એકવાર છ મહિનાના ઉપવાસ, બીજીવાર પાંચ મહિનાને ૨૫ દિવસના સળંગ ઉપવાસ, પાંચ મહિનાનાં ઉપવાસ, ૪-૩-૨-૧ મહિનાના ઉપવાસ, અઠ્ઠમ-છઠ્ઠ, બે દિવસનાં, ચાર દિવસના, છ દિવસના ચોવિહારા ઉપવાસ કર્યા છે. આખા સાધનાકાળમાં એક પણ દિવસ આડા પડ્યા નથી, પ્રભુએ નિદ્રા લીધી નથી. સમગ્ર ૧૨ વર્ષ અને ૧૫ દિવસ લાંબા સાધનાકાળમાં પરમાત્માને જે ઝોકાં આવ્યાં, તેનો સરવાળો કરો તો તે પણ માત્ર ૪૮ મિનિટ જેટલો જ થાય. પ્રભુ ક્યારેય પલાંઠી વાળીને બેઠા નથી, નિરંતર ઘોર સાધના કરી છે, ધ્યાનમાં લીન રહ્યા છે. એક ક્ષણ પણ દેહભાવનો અનુભવ કર્યો નથી. નિરંતર દેહાતીત અવસ્થા અનુભવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy