SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ – ૧ – આગમ જાણો ! – - 272 જ્ઞાનસારમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાનસાગરમાં મગ્ન થયેલ મહાત્માઓના આનંદ અને જ્ઞાનાસ્વાદમાં આવતા અંતરાયો વખતની તેમની પીડાનું તાદશ વર્ણન કરતાં “જ્ઞાનસાર'માં લખે છે કે - 'यस्य ज्ञानसुधासिन्धौ, परब्रह्मणि मनता । विषयान्तरसञ्चार-स्तस्य हालाहलोपमः ।।' ‘જે સાધુ ભગવંતને જ્ઞાનરૂપી અમૃતના સાગરમાં એટલે કે પરબ્રહ્મમાં મગ્નતા પ્રગટે છે, તેમને અન્ય વિષયોમાં જવું એ જાણે હલાહલ ઝેર પાચન કરવા સમાન લાગે છે.' ધર્મલાભ એટલે શું? જાણી લો !: પરમતારક ગુરુદેવ અમદાવાદમાં હતા ત્યારની આ વાત છે, શ્રમણ જીવનની શરૂઆતમાં વર્ષો પારાવાર ઝંઝાવાતમાં વિત્યાં, ત્યારની આ વાત છે. તે સમયે રોજ બેથી અઢી કલાકનાં પ્રવચનો થતાં. પ્રવચન પૂરું થતાં જ તેઓશ્રી ખૂણે પુસ્તક લઈને સ્વાધ્યાય કરવા બેસી જતા. કર્તવ્ય નિભાવ્યું એટલે પતી ગયું. દુનિયાથી એ અલિપ્ત હતા, એ વખતે પૂરા ગુજરાતમાં “રામવિજયજી મહારાજના નામની ખ્યાતિ હતી. એમનો જેમ વિરોધી અને શ્રદ્ધાળુ વર્ગ હતો, તેમ રામવિજયજી મહારાજ બાળ બ્રહ્મચારી-મહાસમર્થ છે, તેમની એક નજર પડી જાય તો આપણો બેડો પાર થઈ જાય, તેવું માનનારો અને અનુભવનારો પણ એક વર્ગ હતો. સવારથી સાંજ સુધી વંદન માટે લોકોનો આવરો-જાવરો ચાલુ જ રહેતો છતાં તેઓ પોતાની દુનિયામાં મસ્ત રહેતા. આના પરિણામે આખા અમદાવાદમાં એક વાવંટોળ ઉભો થયો કે, “રામવિજયજી બહુ અહંકારી છે, અભિમાનનું પૂતળું છે. ગમે તેવા દૂરદૂરથી આવ્યા હોઈએ તો પણ સમય આપતા નથી, ધર્મલાભ પણ આપતા નથી, અમારી સામે ઊંચું મોં કરી જોતા પણ નથી. જ્યારે જુઓ ત્યારે પોતાનાં પ્રત-પુસ્તકો લઈને બેઠા હોય ! એમને ખબર ન હતી કે સ્વાધ્યાય-શ્રુતપાસના તો સાધુ જીવનનો પ્રાણ છે. એના વિના સાધુ ટકી શકે શી રીતે ? અજ્ઞાનયોગે અનાદિકાળથી રખડતા આત્માનો જો કોઈ સહારો હોય તો તે જ્ઞાન છે અને એ જ્ઞાનને પામવાનું માધ્યમ આ ધર્મશાસ્ત્રો છે. સાધુ બન્યા પછી જો એ આ શાસ્ત્રો નહિ વાંચે તો વાંચશે જ્યારે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy