SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ – ૧૩ બીજો મહાઅધ્યયન શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 - 271 જીવનનું એ છેલ્લું વર્ષ હતું. અમદાવાદની સ્થિરતા અને માંદગી દરમ્યાન બનેલી આ ઘટના છે. તેઓશ્રીની શારીરિક ચિકિત્સા માટે એક ચિકિત્સક આવ્યા હતા. હિન્દુસ્તાનમાં નાડી વિજ્ઞાનના તેઓ સર્વશ્રેષ્ઠ અનુભવી હતા. એમણે પરમતારક ગુરુદેવશ્રીની નાડી હાથમાં લીધી, તપાસી, તો તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો ! કહ્યું, “કેટલો અનહદ સાત્ત્વિક આનંદ ઘુમરાઈ રહ્યો છે એમના હૃદયમાં !” સાત્ત્વિકતાથી ભરેલો આવો અનહદ આનંદ આજે પહેલી વાર જોઈ રહ્યો છું આ નાડીમાં. એમણે અમને પૂછ્યું, “મહારાજ સાહેબ પાસે હમણાં કોઈ આવ્યું હતું ? કોઈ સારા સમાચાર આવ્યા હતા ?' જેટલી આનંદ મેળવવા અંગેની કલ્પનાઓ એ ચિકિત્સકના મનમાં હતી, તે બધી પૂછી લીધી. બધાનો ઉત્તર “ના” માં જ મળ્યો ! પછી એમણે પૂછયું કે “હમણાં મહારાજ સાહેબ શું કરતા હતા ?” અમે જણાવ્યું, “એક ગ્રંથ વાંચતા હતા, “શું વાંચતા હતા ?' અમે તે ગ્રંથનું નામ આપતાં કહ્યું કે “ગચ્છાચાર પન્ના.” પછી એમણે મહારાજજીને પૂછ્યું કે, “આ ગ્રંથ વાંચતાં આપને કેમ આવો અને આટલો બધો આનંદ આવ્યો, જરા સમજાવશો ?' મહારાજજીએ કહ્યું, “કેવો મજાનો આગમગ્રંથ છે. મારા ભગવાનની કેવી કરુણા ? મારા ભગવાને શાસનની, ગચ્છની, ગચ્છાધિપતિની, ગચ્છના સાધુસાધ્વીની કેવી સુંદર મર્યાદાઓ બતાવી છે ! કેવી સરસ હિતચિંતા કરી છે ? તે વાંચી મને તે વાંચીને મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે.” આ છે અધ્યાત્મશાસ્ત્ર સેવાનો આનંદ ! આ તો માત્ર સેમ્પલ બતાવું છું. આજે શ્રમણ-શ્રમણી સંસ્થામાં ક્યાંય થોડાઘણા પ્રમાણમાં હતાશા, શોક, વેદના, ક્લેશ કે સંક્લેશ દેખાતાં હોય તો એના મૂળમાં અમારો સ્વાધ્યાય ચૂકાયો, વાચના ગઈ તે કારણ છે. જે દિવસે આ સ્વાધ્યાય અમારા પ્રત્યેક સાધુઓના સાધુ જીવનનું અંગ બનશે તે દિવસથી તો તે સાધુની તોલે કોઈ નહીં આવે. ભગવાને સાધુને દિવસ દરમ્યાન પાંચ પ્રહર એટલે કે પંદર કલાક સ્વાધ્યાય કરવાનું કહ્યું છે. જે પંદર-પંદર કલાક સ્વાધ્યાયમાં ઝાકઝબોળ રહે તેનો આનંદ કેટલો અને કેવો હોય ? તે બરાબર વિચારજો. પછી તમે આવો તોય ગમે નહિ, વિક્ષેપ લાગે કે ક્યાં આવી ગયા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy