SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ --- ૧૩ : બીજો ‘મહાઅધ્યયન' શ્રુતસ્કંધનો મિતાક્ષરી પરિચય - 13 કેટલાક ભક્તિવાળા આગેવાનો મહારાજજીને પરિસ્થિતિનો ખ્યાલ આપી ગયા અને કહ્યું, ‘સાહેબ આનો કાંઈક રસ્તો કરો તો સારું.’ ‘કરી દઈશું.’ શું કર્યો હશે ? સારું, કલાક તમારા માટે ફાળવી દઈશ, એમ ? ના. બીજે દિવસે હકડેઠઠ સભા ભરાઈ હતી. બરાબર વ્યાખ્યાન જામ્યું ત્યાં મહારાજ સાહેબે પ્રશ્ન છેડ્યો, તમે બધા દૂર દૂરથી આવો છો અને હું તમને ધર્મલાભ પણ નથી આપતો, તે તમને નથી ગમતું, બરાબર ને ? એ સભામાં તો કોઈપણને બોલવાની છૂટ હતી. બધા બોલી ઉઠ્યા, ‘વાતમાં ખોટું શું છે ? ધર્મલાભ તો આપવો જ જોઈએ ને !' એ લોકો એમ માનતા હતા કે, આ ધર્મલાભના આશીર્વાદમાં બધુ જ આવી જાય. તેમાં ધનવૃદ્ધિર્મવતુ, પુત્રવૃદ્ધિર્મવતું બધું જ આવી જાય, ઓલ-ઈન-વન. મહારાજ સાહેબે કહ્યું, ‘તમારે ધર્મલાભ જોઈએ છે ને ?’ સભાએ એકી અવાજે કહ્યું, ‘હા ? એ માટે તો દોડી દોડીને આવીએ છીએ ?' પછી મહારાજજીએ ફરી પ્રશ્ન કર્યો, ‘ધર્મલાભનો અર્થ શું છે, જાણો છો ?’ સભાએ કહ્યું, ‘ના, એ તો અમને ખબર નથી ?' મહારાજ સાહેબે કહ્યું, ‘તો સાંભળી લો - એનો અર્થ છે કે, વહેલામાં વહેલી તકે તમને આ રજોહરણ મળો. બોલો, કોને જોઈએ છે ? હું આપું !' તત્ત્વ સમજવા ગમે ત્યારે આવો, પણ સમય પસાર કરવા કે તમારા સાંસારિક સ્વાર્થ સાધવા અમારી પાસે ભૂલે-ચૂકે પણ આવતા નહિ. મારું કે તમારું દુઃખ આ શાસ્ત્ર અભ્યાસ વગર કોઈ દૂર કરી શકશે નહિ. આનો આનંદ કેટલો હોય તે તો એને માણનારો જ જાણે અને માણે. આ તો હજી છાંટણાં ઉડ્યાં છે - છાંટણાંનો જો આ આનંદ હોય તો જ્યારે અંદર ડૂબકી મારશો તો કેટલો આનંદ આવશે ? માટે જ કહેવત પડી ને કે ― 273 વિશેષ વાતો હવે પછી. Jain Education International ‘મહીં પડે તે મહાસુખ માણે.’ - (પહેલો ભાગ પૂર્ણ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004864
Book TitleSuyagadanga Sutrana Sathware Part 1 Agam Jano
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy